શુક્રવાર, 4 માર્ચ, 2011

કેટલી પ્રકારની હોય છે ચિત્તની અવસ્થાઓ?

કેટલી પ્રકારની હોય છે ચિત્તની અવસ્થાઓ? આજે યોગને લગતી અનેક પ્રકારની અફવાઓ ચાલતી રહે છે. જો આપણે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો યોગ સ્થૂળતાથી સૂક્ષમતા તરફ જતો રસ્તો છે. આપણે જેટલા પોતાના મનને શાંત બનાવીશું એટલા જ આપણી અંદરના સત્ અર્થાત સમ્યક જ્ઞાનના દર્શન કરી શકીશું. મુનિ વ્યાસે ચિત્તની પાંચ અવસ્થાઓ બતાવી છે.


1 મૂઢ અવસ્થાઃ-

આ અવસ્થા તમ પ્રધાન હોય છે આ કામ, ક્રોધ, લોભ, મોહને કારણે થાય છે. તેમાં મનુષ્યની અવસ્થા અજ્ઞાનમન હોવાના કારણે સમાધિસ્થ નથી થઈ શકતી.

2-ક્ષિપ્ત અવસ્થાઃ-

આ અવસ્થાના મનુષ્ય રજ પ્રધાન હોય છે. એટલે રાગ, દ્વેષ, મોહ, ઇર્ષા, સાંસારિક કર્મોની પ્રવૃત્તિ મનને ચંચળતા વગેરે ગુણવૃત્તિ વધુ જોવા મળે છે.

3- વિક્ષિપ્ત અવસ્થાઃ-

આ અવસ્થા વાળો મનુષ્ય સતગુણ પ્રધાન હોય છે આથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય વધુ જોવા મળે છે.

4- એકાગ્રઅવસ્થાઃ-

આ અવસ્થાવાળો મનુષ્ય સત્વ ગુણ પ્રધાન હોય છે એમાં રજ અને તમ ગુણ આંશિક માત્રામાં રહે છે.

5- નિરુદ્ધાવસ્થાઃ-

જ્યારે વિવેક ખ્યાતિ દ્વારા ચિત્ત અને પુરુષનો ભેદ અર્થાત્ સાક્ષાત પ્રગટ થાય છે. તેવી ખ્યાતિથી પણ વૈરાગ્ય ઉદાસ થાય છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger