મંગળવાર, 8 માર્ચ, 2011
શવાસન કરવાથી દૂર થાય છે માનસિક અને શારીરિક થાક
10:34 AM
Asha Ahir
વિધિ- આ આસનમાં આપે કંઇજ વિશેષ કરવાનું નથી. આપ એકદમ સહજ અને શાંત બની જાવ તો મન અને શરીરને આરામ મળશે. દબાણ અને થાક દૂર થઇ જશે. શ્વાસ અને નાડીની ગતિ સામાન્ય થઇ જશે. આ કરવા માટે પીઠના બળ પર સૂઇ જવું. પગને ઢીલા છોડી બંને હાથને શરીરની સમાંતર રાખી બાજુમાં રાખો. શરીરને જમીન પર સંપૂર્ણપણે સ્થિર થઇ જવા દો. હવે શરીરના દરેક અંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને એકદમ શાંત અને સ્વસ્થ અનુભવો. એવી કલ્પના કરો કે શરીરનું એક-એક અંગ શાંત, સ્વસ્થ, નિરોગી અને શક્તિશાળી બની રહ્યું છે. શવાસનમાં આપનું મન જેટલું વધારે શાતં અને એકાગ્ર થશે તેટલો વધારે લાભ થશે.
મારા વિશે
Blogger દ્વારા સંચાલિત.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો