રવિવાર, 27 ફેબ્રુઆરી, 2011

યોગનો અર્થ અને તેનું મહત્વ

યોગનો અર્થ અને તેનું મહત્વ યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે - જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી. 'યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા. યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે - રાજપથ. ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે...

ચરબીના થરને ઓગાળતા યોગાસન

ચરબીના થરને ઓગાળતા યોગાસન વજન અને ચરબીના થર સુંદરતામાં તો બાધક બને છે પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ વધારે વજન એ ઇચ્છનીય પરિસ્થિતિ નથી. માટે  તમે વજનને નિયંત્રણમાં રાખવા માગતા હો અને ફીટ રહેવા માગતા હો તો કેટલાંક યોગાસનની મદદથી એ કરી શકો છો.યોગથી વજન નિયંત્રણમાં આવે છે પરંતુ ધીરેધીરે. અત્યારની ઝડપી જીવનશૈલીમાં તમે ગણતરીનાં યોગાસન કરીને ફિટનેસ પણ સાચવી શકો અને સ્વસ્થ પણ રહી શકો છો. જિમમાં જવાથી વજન ઝડપથી ઘટશે પણ  યોગાસનો કરવાનો ફાયદો એ રહેશે કે વજન તો ઘટે જ છે સાથે સાથે માનસિક શાંતિ અને હકારાત્મક ઊર્જા પણ મળે છે. એટલે આપણે સમગ્ર દિવસ દરમિયાન પોતાની જાતને એકદમ ફીટ અનુભવીએ છીએ.મર્હિષ પતંજલિએ લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાં...

શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

કોમ્પ્યુટર અને યોગ

કોમ્પ્યુટર અને યોગ   આજે જે પ્રકારે કોમ્પ્યુટર પ્રગતિ અને આધુનિકતાની ઓળખ બની ચુક્યુ છે, તેવી જ રીતે આજે યોગ પણ માનવીય સ્વાસ્થ્યના ક્ષેત્રમાં નવ ક્રાંતિ બનીને સમગ્ર દુનિયામાં ઝડપથી પ્રસરી રહ્યું છે. એ લોકો માટે કે જે કોમ્પ્યુટર પર સતત આઠથી દસ કલાક કામ કરીને કેટલાંય પ્રકારના રોગોનો શિકાર બને છે અથવા તણાવ કે થકાવટનો ભોગ બને છે. નિશ્ચિત પણે કોમ્પ્યુટર પર સતતા આંખો લગાવી રાખવાથી નુકસાન તો થાય છે જ તેના સિવાય પણ એવી કેટલીક નાની-નાની સમસ્યાઓ પણ પેદા થાય છે. જેનાથી આપણે જાણતા-અજાણતા લડતા રહીએ છીએ. તો આવો જાણીએ કે આવી સમસ્યાઓથી કેવી રીતે છુટકારો મેળવી શકાય. કોમ્પ્યુટર અને આરોગ્ય- કોમ્પ્યુટર પર સતત કામ કરવાથી સ્મૃતિ દોષ, દૂરદ્રષ્ટિ કમજોર પડવી,...

કોમ્પ્યુટર પર વધારે બેસો છો તો આ વ્યાયામ કરવો

કોમ્પ્યુટર પર વધારે બેસો છો તો આ વ્યાયામ કરવોઆખો દિવસ કોમ્પ્યુટરની સામે બેસીને બેસી-બેસીને હાથ-પગ, આંખો અને આખા શરીરની ખરાબ હાલત થઈ જાય છે. આમ તો આ બધી સામાન્ય વાત છે પરંતુ આનો આપડા શરીર પર ઘણો પ્રભાવ પડે છે. દિવસભર કાર્ય કરવા વાળા મોટા ભાગના લોકોમાં થોડા સમય પછી સ્વભાવ ચીડીયાપણો થઈ જાય છે અને તે માનસિક તણાવથી પણ પીડાઈ છે. જેનાથી તેમનુ પારિવારિક જીવન અને કાર્યક્ષમતા પણ પ્રભાવિત થાય છે. સમય હોય તો આ તણાવને દુર કરવાનો ઉપાય કરવામા આવે તો હમેશા ખુશ અને સ્વસ્થ રહી શકો છો. તમારી આંખોની રોશની હમેશા ચમક્તી રહેશે અને ચશ્મા વગેરેથી છુટકારો મળશે. આ વ્યાયામ કરવો - - કોમ્પ્યુટર પર કામ કરવા વાળા લોકોની આંખોમા સૌથી વધારે દબાણ પડે છે. એટલા માટે આંખોની...

બાળકો અને યુવાઓનો વ્યાયામ – પૂર્વોત્તાનાસન

બાળકો અને યુવાઓનો વ્યાયામ – પૂર્વોત્તાનાસન પૂર્વોત્તાનાસનથી પાંસળી અને બરડાની માંસપેશીઓ મજબૂત થાય છે. જો આપ આપના હાથની માંસપેશીઓને મજબૂત કરવા ઇચ્છતા હોવ તો આપના માટે યોગમાં પણ એવા આસનો છે જેના દ્વારા હાથની મજબૂતીમાં વધારો થઇ શકે છે. આ આસન બાળકો અને યુવાનો માટે સ્વાસ્થ્યવર્ધક છે. પૂર્વોત્તાનાસનની વિધિ –  સમતળ જમીન પર આસન પાથરો. બંને પગને સામેની તરફ ફેલાવી બેસી જાવ. પગ સીધા અને એકબીજા સાથે જોડેલા રાખો. બંને હાથને પાછળની તરફ અને નિતંબની નજીક જમીન પર રાખો, હાથ સીધા રહેશે અને આંગળીઓ પાછળની તરફ રહેશે. પાંસળીઓ પણ સીધી રાખો. હવે શ્વાસને અંદર ભરો અને પોતાના હાથ પર દબાણ કરતા-કરતા કરને જમીનની ઉપર ઉઠાવો. જેથી સંપૂર્ણ શરીર સીધું થઇ જાય અને પગના તળીયા જમીનને સ્પર્શે. ગળાને પાછળની તરફ ઢીલું છોડી દો, આંખો ખુલ્લી રાખો અને શ્વાસ રોકો. આ સ્થિતિમાં પાંચ સેકંડ રોકાવ. ત્યારબાદ શ્વાસ છોડતા-છોડતા ધીમે-ધીમે...

હલાસન

હલાસન આ આસન થાઇરોઇડ ગ્રંથિને પ્રભાવિત કરે છે. આ આસન કરવાથી કંઠકૂપો પર દબાવ પડે છે જેનાથી થાઇરોઇડ સંબંધી સમસ્યા દૂર થાય છે. વિધી- સમતળ જમીન પર આસન પાથરો. આસન પર શવાસનમાં સૂઇ જાવ. શ્વાસને અંદર ભરીને બંને પગને એકસાથે ઉપર તરફ ઉઠાવવાની શરૂઆત કરો. પગને ઉપની તરફ ઉઠાવતા ઉઠાવતા સર્વાંગાસનમાં આવો, પછી ચિત્ર અનુસાર બંને પગને માથાની પાછળ સુધી નમાવી જમીન પર સ્પર્શ કરાવો. આ દરમિયાન બંને પગના ઘૂંટણોને વળવા ન દો. પગને સીધા રાખો. બંને હાથની મદદથી પગના અંગૂઠા પકડી લો. હાથની કોણીને સીધી રાખો. થોડીક વાર આમ જ રોકાયા બાદ સામાન્ય રુપે શવાસનમાં આવી જાવ. શરીરના તણાવને દૂર કરવા માટે આસનના અંતે થોડીવાર શવાસનમાં રહો. સાવધાની – આસન કરતી વખતે ધીરજ રાખવી. ઝડપ અને ઉગ્રતાભર્યો વ્યવહાર ન કરવો. જે લોકોને આંખ, હૃદય, ઉચ્ચ રક્તચાપ, કમર, પેટ, ડોક સંબંધિત બીમારી હોય તેમણે આ આસન ન કરવું.લાભ- આ આસન થાઇરોઇડ ગ્રંથિને...

મુખની કાંતિમાં વધારો કરે છે વૃશ્ચિકાસન

મુખની કાંતિમાં વધારો કરે છે વૃશ્ચિકાસન શરુઆતમાં થોડું કપરું લાગશે, પ્રયાસ કરવાથી મસ્તક અને પગથી વૃશ્ચિક જેવી આકૃતિ બનશે. વિધિ- એકાંત સ્થળે સમતળ જમીન પર આસન પાથરવું. બેસીને બંને હાથની કોણીઓને થોડા-થોડા અંતરે જમીન પર ટેકવી દો. હવે શીર્ષાસનની જેમ મસ્તકને બે હાથની વચ્ચે ટેકવી પગને ઉપર લઇ જાવ. પગ ઉપર જાય ત્યારે માથાને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરો. શરુઆતમાં થોડું કપરું લાગશે, પ્રયાસ કરવાથી મસ્તક અને પગથી વૃશ્ચિક જેવી આકૃતિ બનશે. પૂર્ણ સ્થિતિમાં પગને માથાની ઉપર રાખવાનો અભ્યાસ કરો. સાવધાની- આસનનો અભ્યાસ ધીરજ પૂર્વક કરવો. ઝડપ કરીને શરીર પર વધારે જોર ન આપવું. લાભ- આ આસન જઠરાગ્નિને તીવ્ર બનાવે છે અને ઉદરના રોગોને દૂર કરે છે. મૂત્ર વિકારોને દૂર કરે છે અને મુખની કાંતિમાં વધારો કરે છે...

વૃદ્ધાવસ્થાને દૂર રાખે છે ચક્રાસન

વૃદ્ધાવસ્થાને દૂર રાખે છે ચક્રાસન શું તમે સદાય યુવાન રહેવા ઈચ્છો છો? તમે ઈચ્છો છો કે તમારી કમર હંમેશા અક્કડ રહે અને તમે ક્યારેય પણ વાંસાથી ઝુકી ના જાઓ, તો તમારે જરુર છે ચક્રાસનની. ચક્રાસન કરવાની પ્રક્રિયા સૌથી પહેલા સપાટ જમીન પર એક ચાદર પાથરી દો. હવે પીઠના સહારે સીધા સુઈને ઘુંટણને વાળો. પગની એડીને નિતંબની નજીક લઈ જાઓ. બંને હાથને ઉંધા કરીને પીઠની પાછળ થોડું અંતર રાખીને વાળો જેનાથી સંતુલન બની રહેશે.હવે ઉંડા શ્વાસ લઈને છાતીને ફુલાવો. ધીરે ધીરે હાથ અને પગને એકબીજાની નજીક લાવો. હાથ પગ નજીક આવશે ત્યારે શરીરનો આકાર ચક્ર જેવો બનશે. આસન પુરું કરતી વખતે શરીરને હળવું કરો અને ફરી જમીન પર સુઈ જાઓ. આ પ્રકારે 3થી 4 વાર આસનની મુદ્રા કરી શકો છો. ચક્રાસનના...

યોગા એક સમજ.

યોગા એક સમજ માનવજાતિએ પ્રગતિના અનેક સોપાનો સર કર્યા છે. એક વખત અસંભવ ગણાતા કાર્યો આપણે કરી બતાવ્યા છે. આપણા પૂર્વજોએ સપનામાઓમાં પણ કલ્પના કરી ન હોય તેવી પ્રાપ્તિઓ અને સિદ્ધિઓ આપણે મેણવી છે. વૈજ્ઞાનિક સંશોધન અને આવિષ્કારોએ આજે જીવનની કયા પલટ કરી નાખી છે વિજ્ઞાન સુખ સગવડના નિત નવા સાધનો માનવજાતિના ચરણે ધરતું જાય છે.પરંતુ પ્રદુષિત હવા પાણી, પ્રદુષિત શરીર તેમજ પ્રદુષિત મન પણ વિજ્ઞાનની જ નીપજ છે. આજના યુવાનોના ચહેરાઓ પર આ નિરાશા અને આ વ્યથા શું કામ છે? તેમજ શુષ્ક અને નિસ્તેજ આંખોમાં અજંપો કેમ દેખાય છે?  આજે આપણે પોતાને આધુનિક અને સુસંસ્કૃત માનીએ શકીએ, પરંતુ સુખી તો નહિ જ. ઊંઘ માટે નીદ્રાકારક ગોળીઓ, મળ વિસર્જન માટે જુલાબની ગોળીઓ અને શક્તિ જાળવવા ટોનીકો વગર આપણને ચાલતું નથી. પીડાનાશક અને ઘેનકારક દવાઓનું ચલણ વધતું જાય છે. યુવાનો આજે માદક પદાર્થો તરફ વળી રહ્યા છે અને અવનતીની ખીણમાં સરકી રહ્યા...

ઉચ્ચ રક્તચાપનાં કારણો અને બચવાના ઉપાય

ઉચ્ચ રક્તચાપનાં કારણો અને બચવાના ઉપાય ઉચ્ચ રક્તચાપ આજના યુગનો એક ગંભીર રોગ છે. આ રોગ વિશે સૌથી ખતરનાક વાત એ છે કે આ રોગ ઘણાં વર્ષો સુધી માણસના શરીરમાં ગુપ્ત રીતે રહે છે. ઉચ્ચ રક્તચાપની પ્રારંભિક અવસ્થામાં આ રોગ ચૂપચાપ શરીરમાં પોતાનું વર્ચસ્વ જમાવે છે અને શરીરનાં અંગોને નુકસાન પહોંચાડતો રહે છે. આ જ કારણે આ રોગથી પીડાતા વ્યક્તિને જ્યારે આ રોગની જાણકારી થાય છે ત્યાં સુધી તો આ રોગ તેમના મગજ, હૃદય, કિડની અને આંખોને પણ નુકસાન કરી ચૂક્યો હોય છે. આ રોગ આજના ભૌતિક અને આધુનિક યુગની દેણ છે. આજ તો સ્થિતિ છે કે ૪૦ વર્ષની ઉંમર પછી ૧૦માંથી એક વ્યક્તિ ઉચ્ચ રક્તચાપથી પીડિત છે. કારણ કે આ રોગ ઘણાં વર્ષો સુધી શરીરમાં ગુપ્ત રીતે રહે છે તેથી ૯૦ ટકા આ...

યોગ કરવાથી કોઈપણ પ્રકારનો દુખાવો ઓછો થઈ જાય

યોગ કરવાથી કોઈપણ પ્રકારનો દુખાવો ઓછો થઈ જાય રોજે રોજ યોગ કરવાથી શરીરમાં થતા અનેક પ્રકારના દુખાવા મટી જાય છે તેમ તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. સર્વેક્ષકોના જણાવ્યા અનુસાર શરીરમાં જાતજાતના દુખાવા ઉંમર વધવાને કારણે અને તાણને કારણે થતા હોય છે. બંનેના કારણે લોહીમાં અનેક પ્રકારનો કચરો વધવાથી દુખાવાને જન્મ આપે છે. યોગ કરવાથી લોહીમાંથી એ બધો કચરો ગળાઈ જાય છે.યોગ કરવાથી કોઈપણ પ્રકારનો દુખાવો ઓછો થઈ જાય નિયમિત યોગ કરવાથી દુખાવો થતો અટકે અને તાણ માનસિક તાણ અટકી જાય આ સંશોધન કરનાર ઓહાયો યુનિર્વિસટીના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રોજેરોજ યોગ કરનાર મહિલાઓના લોહીમાં સાયટોકિન ઈન્ટરલ્યુકેન નામનું તત્ત્વ નોંધપાત્ર પ્રમાણમાં ઓછું...

તમાકુનું વ્યસન છોડવા ઉપયોગી થશે યોગાસન

તમાકુનું વ્યસન છોડવા ઉપયોગી થશે યોગાસન યોગ ભગાવે રોગ - બાબા રામદેવપ્રાચીનકાળથી જ મનુષ્ય આનંદ,શાંતિ, તણાવથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરતો આવ્યો છે. પણ આ બધું સરળ રીતે મેળવી ન શકવાને કારણે બીજી અનેક પદ્ધતિએ વિભિન્ન માદક દ્રવ્યોનો ઉપયોગ કરતો રહ્યો છે. જેમકે, ધતૂરાનાં બી, સોમરસ,ભાંગ, ગાંજો વગેરે... આધુનિક સમયમાં તેની સાથે સાથે બીજા પદાર્થો પણ તેમાં ભળી રહ્યા છે, જેમકે હેરોઈન, ચરસ, કોકેઇન,અફીણ વિભિન્ન પ્રકારની ઊંઘની ગોળીઓ તથા તમાકુ, સિગારેટ, ગુટકા, જર્દા વગેરે...આ બધામાં તમાકુ સૌથી વધુ અસરકારક માદક અને ઝેરીલો પદાર્થ છે. જે વ્યક્તિને આ બધા નશા કરતાં પણ વધુ હાનિ પહોંચાડે છે.આ એક એવું વ્યસન છે, જેને...

વરસાદમાં થતા રોગ અને તેના યૌગિક ઉપાય

વરસાદમાં થતા રોગ અને તેના યૌગિક ઉપાય વરસાદની ઋતુમાં વાતાવરણમાં ભેજ હોય છે. શરીરની સ્વચ્છતા સારી રીતે ન થાય તો ત્વચાના રોગ થાય છે. ત્વચા રોગમાં ઘણા રોગ એવા હોય છે કે જેના પ્રત્યે કાળજી ન રખાય તો તે જીવનભર પીછો છોડતા નથી. શારીરિક સૌંદર્યનો સંબંધ પણ ત્વચાથી છે.ત્વચાની સ્વચ્છતાનું ધ્યાન ન રખાય,ત્વચા સ્વસ્થ ન હોય તો ત્વચા રોગ થવા માંડે છે. આ રોગોમાં એક્ઝિમા, ખસ-ખંજવાળ, પિત્ત થવું (શીત-પિત્ત), ફોડા-ફોલ્લી,ઘા થવો, શરીર પર સોજો, ખીલ વગેરે સામેલ છે. વરસાદની ઋતુમાં આ રોગમાં વધારો થાય છે.એક્ઝિમાઆ રોગ પગ, મોં, કોણી, ગરદન, પેટ વગેરે ક્યાંય પણ થઈ શકે છે. લૂ લાગવાથી,માસિકચક્રમાં ગરબડી, લોહીની બીમારી, સાબુ, ચૂનો, સોડા, ક્ષાર...

યોગી અને યોગ શક્તિ(બિંબ પ્રતિબિંબ )

યોગી અને યોગ શક્તિ(બિંબ પ્રતિબિંબ ) (૧) યોગ પરમાનંદની પ્રાપ્તિનો વાચક છે. યોગ એટલે પરમાનંદની પ્રાપ્તિ અને તેમાં દુઃખોનો અભાવ.(૨) ‘ધ્યાન યોગ’ના અર્થમાં યોગ એટલે વાયુરહિત સ્થાનમાં રહેલા દિવાની સ્થિર જ્યોતિ સમાન ચિત્તની સ્થિરતા.(૩) ‘નિષ્કામ કર્મયોગ’ના અર્થમાં યોગ એટલે આસક્તિ રહિત તથા સિદ્ધિ અસિદ્ધિમાં સમાન ભાવ રાખી કરવામાં આવતાં કર્મો.(૪) ‘ભગવત્ત શક્તિરૃપ’ યોગના અર્થમાં યોગ આશ્ચર્યજનક પ્રભાવ દર્શાવતી યોગશક્તિ છે.(૫) ‘ભક્તિયોગ’ના અર્થમાં યોગ એટલે પરમાત્માની વિશુદ્ધભક્તિ.(૬) ‘અષ્ટાંગ યોગ’ના અર્થમાં યોગ એટલે  ધારણા તથા અન્ય માર્ગો દ્વારા મન અને ઇન્દ્રિયોનો સંયમ કરી મસ્તકમાં પ્રાણ ચડાવવાની પ્રક્રિયા.(૭) ‘સાંખ્યયોગ’ના અર્થમાં યોગએટલે અહં-મમત્વનો લય કરીને સચ્ચિદાનંદઘન, સર્વાવ્યાપી પરમાત્મામાં એકાત્મ ભાવથી સ્થિત થવું.યોગના ગ્રંથોમાં ‘યોગ’ એટલે ‘યોગ...

Pages 381234 »

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger