શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

મત્સ્યાસન

મત્સ્યાસન
મત્સ્યનો અર્થ - માછલી. આ આસનમાં શરીરનો આકાર માછલી જેવો બને છે, તેથી આ મત્સ્યાસન કહેવાય છે.

વિધિ : પહેલા પદ્માસન સ્થિતિમાં બેસવુ જોઈએ. પછી પદ્માસનની સ્થિતિમાં જ સાવધાનીથી પાછળની તરફ સીધા ઉંઘી જાવ. ધ્યાન રાખો કે સૂતી વખતે બંને ઘૂંટ્ણ જમીન સાથે જોડાયેલા રહે. પછી બંને હાથની મદદથી શિખાસ્થાનને જમીન પર ટેકવો. ત્યારબાદ ડાબા હાથના પગના અંગૂઠો અને બંને કોણીઓને જમીન પર ટેકવી મૂકો.

એક મિનિટથી શરૂ કરીને પાઁચ મિનિટ સુધી અભ્યાસ વધારો. પછી હાથ ખોલીને હાથોની મદદથી માથાને સીધુ કરી કમર, પીઠને જમીન પર ટેકવો. ફરી હાથની મદદથી ઉઠીને બેસી જાવ. આસન કરતી વખતે શ્વાસોશ્વાસની ગતિ સામાન્ય બનાવી રાખો.

સાવચેતી : છાતી અને ગળામાં વધુ દુ:ખાવો કે બીજા કોઈ રોગ હોવાની સ્થિતિમા આ આસન કરો.

W.D
આ આસન ખૂબ જ સાવચેતી પૂર્વક કરવુ જોઈએ, આ આસનમાં ગરદન મરડાઈ જવાની બીક રહે છે. કારણકે શરીરને એકદમ ઉપર કરી દેવુ પડે છે. આ આસન એક મિનિટથી પાઁચ મિનિટ સુધી કરી શકાય છે.

આ આસન કરવાથી થતા ફાયદા : આનાથી આંખોની જ્યોતિ વધે છે. ગળુ સાફ રહે છે અને છાતી અને પેટના રોગ દોર થાય છે. રક્તપરિભ્રમણની ગતિ વધે છે, જેને કારણે ચામડીના રોગ નથી થતા. દમાના રોગીઓને આનાથી ફાયદો થાય છે. પેટની ચરબી ઘટે છે. ખાઁસી મટે છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger