શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

તંદુરસ્તી અને ભરપુર સૌંદર્ય મેળવવાની ટિપ્સ


તંદુરસ્તી અને ભરપુર સૌંદર્ય મેળવવાની ટિપ્સ



 
તંદુરસ્ત રહેવાની ઈચ્છા કોને ના હોય, દરેક વ્યક્તિ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાની ઈચ્છા રાખે છે. જે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે તંદુરસ્તી માટે સાવધાન રહે છે તે લોકો યોગા કરે છે અને તેનાથી તેમનું શરીર તંદુરસ્ત રહે છે. કેટલીક સામાન્ય ટિપ્સ જે હંમેશા તમારી તંદુરસ્તી વધારશે..

- દરરોજ સવારે જલ્દી ઉઠીને બે કલાક દરમ્યાન નાસ્તો કરી લેવો. નાસ્તામાં કંઈ પણ લઈ શકો છો જે તમારી તંદુરસ્તી માટે આવશ્યક હોય..

- જમવામાં રોટલી અને ભાત અલગ અલગ સમય પર લેવાં.


- દરરોજ એક કેળું, સફરજન અને ફળોનો રસ લેવા. દિવસ દરમ્યાન થોડી થોડી વારે ફળો લેતા રહેવું.

- લંચ અને ડિનર સમસ અનુસાર લેવા.

- દરરોજ મિઠાઈ ન ખાવી.

- તળેલી વસ્તુઓથી દૂર રહેવું.

- દરરોજ સવારે જલ્દી ઉઠીને એક્સરસાઈઝ કરવી.

- ઓછામાં ઓછું 15-20 મિનિટ ધ્યાન કરવું અને આંખો બંધ કરીને શાંત બેસવું તથા મસ્તિષ્કને આરામ આપવો.

- ચટપટા જમવામાંથી તથા ચરબી વધારનારી વાનગીઓથી બચવું.

- જમતાં પહેલા સલાડ લેવું.

- જમ્યા પછી છાસ પીવી.

- રાતનું જમવાનું સૂવાના બે કલાક પહેલાં અવશ્ય લેવું.

- જમ્યા બાદ તુરંત સૂઈ ન જવું.

- શારિરીક કાર્યો અવશ્ય કરતા રહેવું જેમકે ડાંસ, વોક અને કસરત કર્યા કરવી.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger