રવિવાર, 27 ફેબ્રુઆરી, 2011

યોગનો અર્થ અને તેનું મહત્વ


યોગનો અર્થ અને તેનું મહત્વ


યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે - જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી.

'યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા. યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે - રાજપથ. ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે - ઓશો.

પાતંજલિએ ઈશ્વર સુધી, સત્ય સુધી, સ્વયં સુધી, મોક્ષ સુધી કહો કે પૂર્ણ સ્વાસ્થ્ય સુધી પહોંચવાની આઠ સીડીઓ નિર્મિત કરી છે. તમે ફક્ત એક સીડી ચઢશો તો બીજી માટે જોર નહી લગાડવો પડે, ફક્ત પહેલા પર જ જોર આપવો પડશે. પહેલ કરો. જાણી લો કે યોગ તેની પરમ શક્તિની તરફ ધીરે ધીરે વધવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તમે જો ચાલી નીકળ્યા છો તો પહોંચી જ જશો.

જેમ બહારની વિજ્ઞાનની દુનિયામાં આઈંસ્ટાઈનનુ નામ સર્વોપરિ છે, તેવી જ રીતે મનની અંદરની દુનિયાના આઈંસ્ટાઈન છે પાતંજલિ. જેવી રીતે પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, તેવી જ રીતે બધા દર્શનો, વિધિઓ, નીતિઓ, નિયમો, ધર્મો અને વ્યવસ્થાઓમાં યોગ શ્રેષ્ઠ છે.

યોગ એક વૃહત્તર વિષય છે. તમે સાંભળ્યુ તો હશે - જ્ઞાનયોગ, ભક્તિયોગ, ધર્મયોગ, અને કર્મયોગ. આ બધામાં યોગશબ્દ જોડાયેલો છે. પછી હઠયોગ વિશે પણ સાંભળ્યુ હશે, પણ આ બધાને છોડીને જે રાજયોગ છે, તે જ પાતંજલિનો યોગ છે.

આ યોગનુ સૌથી વધુ પ્રચલન અને મહત્વ છે. આ યોગને આપણે આષ્ટાંગ યોગના નામે ઓળખીએ છીએ. આષ્ટાંગ યોગ એટલે કે યોગના આઠ અંગ. પાતંજલિએ યોગની બધી વિદ્યાઓને આઠ યોગમાં વહેંચી દીધી છે. હવે આની બહાર કશુ જ નથી.

શરૂઆતના પાંચ અંગોમાંથી યોગ વિદ્યામાં પ્રવેશ કરવાની તૈયારી થાય છે, અર્થાત સમુદ્રમાં છલાઁગ મારીને ભવસાગર પાર કરવાની પૂર્વ તૈયારીનો અભ્યાસ આ પાંચ અંગોમાં સમેટાવાયો છે. આને કર્યા વગર ભવસાગર પાર નથી કરી શકાતુ, અને જે આને કરીને છલાઁગ નહી મારે તે અહીં જ રહી જશે. મોટા ભાગના લોકો આ પાંચમાં નિપુણ થઈને યોગના ચમત્કાર બતાવવામાં જ પોતાના જીવનનો વિનાશ કરી બેસે છે.

આ આઠ અંગો છે - 1)યમ 2) નિયમ 3) આસન 4) પ્રાણાયમ 5)પ્રત્યાહાર 6) ધારણા 7)ધ્યાન 8)સમાધિ. ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે - આસન, પ્રાણાયામ, અને ધ્યાન.

તમને ઈશ્વરને જાણવા છે, સત્યને જાણવુ છે, સિધ્ધિઓ મેળવવી છે કે ફક્ત સ્વસ્થ રહેવુ છે, તો પાતાંજલિ કહે છે કે તમારે શરૂઆત શરીર તરફથી જ કરવી પડશે. શરીરને બદલશો તો મન બદલશે. મન બદલશો તો બુધ્ધિ બદલશે. બુધ્ધિ બદલશે તો આત્મા જાતે જ સ્વસ્થ થઈ જશે. આત્મા તો સ્વસ્થ છે જ. એક સ્વસ્થ આત્મચિત જ સમાધિ મેળવી શકે છે.

જેમના મગજમાં દ્વંદ છે, તેઓ હંમેશા ચિંતા, ભય અને શંકામાં જ જીવે છે. તેમનુ જીવન એક સંઘર્ષ જ જોવા મળે છે, આનંદ નહી.

યોગથી બધા પ્રકારની ચિત્તવૃત્તિયોનો નિરોધ થાય છે - યોગશ્ચિત્તિનિરોધ. ચિત્તનો અર્થ છે બુધ્ધિ, અહંકાર અને મન નામની વૃત્તિના ક્રિયાકલાપોથી બનનારો અંતકરણ. તમે ઈચ્છો તો આને અચેતન મન પણ કહી શકો છો, પણ આ અંત:કરન આનાથી પણ સૂક્ષ્મ માનવામાં આવ્યુ છે.

દુનિયાના બધા ધર્મો આ ચિત્ત પર જ કબ્જો મેળવવા માંગે છે, તેથી એમને જુદા જુદા નિયમો, ક્રિયા કાંડ, ગ્રહ-નક્ષત્ર અને ઈશ્વરના પ્રત્યે ભયને ઉત્પન્ન કરીને લોકોને પોતપોતાના ધર્મો સાથે બાંધી રાખ્યા છે. પાતંજલિનુ કહેવુ છે કે આ ચિત્તને જ પૂરી કરો.

યોગ વિશ્વાસ કરવાનુ નથી શીખવાડતુ કે નથી શંકા કરવાનુ. વિશ્વાસ અને શંકાના વચ્ચેની અવસ્થા સંશયનો તો યોગ વિરોધી છે. યોગ કહે છે કે તમારામાં જાણવાની ક્ષમતા છે તેનો ઉપયોગ કરો.

તમારી આંખો છે તેનાથી બીજુ પણ કશુ જોઈ શકાય છે, જે સામાન્ય રીતે દેખાતુ નથી. તમારા કાન છે તેનાથી એ પણ સાંભળી શકાય છે જેને અનાહત કહે છે. અનાહત મતલબ એવી ધ્વનિ જે કોઈ સંઘાતથી નથી જન્મી, જેને જ્ઞાની લોકો ઓમ કહે છે, એ જ આમીન છે, એ જ ઓમીન અને એ જ ઓમકાર છે.

તો સૌ પહેલા તમે તમારી ઈન્દ્રિઓને બળવાન બનાવો. શરીરને ચંચળ બનાવો. અને આ મનને પોતાના ગુલામ બનાવો. અને આ બધુ કરવુ સરળ છે - બે દુ ચાર ની જેમ.

યોગ કહે છે કે શરીર અને મનનુ દમન નથી કરવાનુ, પણ આનુ રૂપાંતર કરવાનુ છે. આના રૂપાંતરથી જ જીવનમાં બદલાવ આવશે. જો તમને લાગે છે કે હું મારી આદતો નથી છોડી શકતો, જેનાથી હું કંટાળી ગયો છુ તો ચિંતા ન કરો. આ આદતોમાં એક 'યોગ'ને પણ જોડી દો અને એકદમ પાછળ પડી જાવ. તમે ન ઈચ્છતા હોય તો પણ પરિણામ તમારી સમક્ષ આવશે.

ચરબીના થરને ઓગાળતા યોગાસન


ચરબીના થરને ઓગાળતા યોગાસન





વજન અને ચરબીના થર સુંદરતામાં તો બાધક બને છે પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ વધારે વજન એ ઇચ્છનીય પરિસ્થિતિ નથી. માટે  તમે વજનને નિયંત્રણમાં રાખવા માગતા હો અને ફીટ રહેવા માગતા હો તો કેટલાંક યોગાસનની મદદથી એ કરી શકો છો.યોગથી વજન નિયંત્રણમાં આવે છે પરંતુ ધીરેધીરે. અત્યારની ઝડપી જીવનશૈલીમાં તમે ગણતરીનાં યોગાસન કરીને ફિટનેસ પણ સાચવી શકો અને સ્વસ્થ પણ રહી શકો છો. જિમમાં જવાથી વજન ઝડપથી ઘટશે પણ  યોગાસનો કરવાનો ફાયદો એ રહેશે કે વજન તો ઘટે જ છે સાથે સાથે માનસિક શાંતિ અને હકારાત્મક ઊર્જા પણ મળે છે. એટલે આપણે સમગ્ર દિવસ દરમિયાન પોતાની જાતને એકદમ ફીટ અનુભવીએ છીએ.
મર્હિષ પતંજલિએ લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાં યોગવિદ્યા હેઠળ એવાં યોગાસનોની માહિતી આપી હતી જે આપણા શરીરને ખૂબ જ ચુસ્તીર્સ્ફૂિતભર્યું રાખવામાં મદદરૃપ થતી હતી તેમાંનો જ એક છે અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગમાં શ્વાસ લેવાની યોગ્ય પદ્ધતિ તથા આસનનો સુમેળ છે. યોગ્ય રીતે શ્વાસ લઈને આસન કરવાથી શરીર તથા મગજમાંથી ટોક્સિન એટલે કે ઝેરી પદાર્થો દૂર થઈ જાય છે અને શરીર એકદમ ફીટ રહે છે
અષ્ટાંગ યોગ મગજ તથા શરીર માટે એક સંપૂર્ણ વર્કઆઉટ છે. પરંતુ તેને યોગ નિષ્ણાતની દેખરેખ હેઠળ કરવા વધારે ઇચ્છનીય છે.જે રીતે જિમમાં શરીરની કન્ડિશનના આધારે જ વર્કઆઉટ તથા હેવી કસરત કરાવવામાં આવે છે તે જ રીતે યોગમાં પણ એ બાબતનો ખ્યાલ રાખવો કે શરીર તથા પ્રકૃતિને માફક આવે તે રીતનાં જ આસન કરવાં. આડેધડ કોઈ પણ યોગાસન ન કરવાં. આ આસનો ક્રમાનુસાર જ થવાં જોઈએ.
તમે આ આસનો અલગથી પણ કરી શકો છો અથવા તો તમારા રોજના વર્કઆઉટ પછી પણ તેનો સમાવેશ કરી શકો. સર્વાંગાસનહલાસનશીર્ષાસન અને બદ્ધ પદ્માસન લોહીના ભ્રમણને સુધારીને નર્વસ સિસ્ટમને મજબૂતી આપે છે. જ્યારે શવાસન શરીર તથા મગજને પૂરતો આરામ આપે છે.
સર્વાંગાસન
જમીન પર સીધા સૂઈ જાવ અને પાંચ વાર ધીમે ધીમે શ્વાસ લેતા જાવ અને છોડતા જાવ. પછી છેલ્લી વાર શ્વાસ છોડતી વખતે બંને હાથથી બે બાજુથી કમરનો ભાગ પકડો. ધીરે ધીરે પગને એટલા ઉપર લઈ જાવ કે ફક્ત તમારા ખભાનો ભાગ જ જમીનને અડકેલો રહે. કમર તથા પીઠનો હિસ્સો શક્ય તેટલો ઊંચકાયેલો રહે તેવા પ્રયત્ન કરો. આ સ્થિતિમાં પાંચ વાર શ્વાસ લો અને છોડો. પછી શ્વાસ લેતા લેતા સામાન્ય પરિસ્થિતિમાં આવી જાવ.
હલાસન
સર્વાંગાસન બાદ હલાસન કરી શકો છો. સામાન્ય પરિસ્થિતિમાં આવ્યા બાદ શ્વાસ છોડતાં છોડતાં પગને ઊંચા કરો. હાથનો કોણી સુધીનો ભાગ જમીનને અડવો જોઈએ. પછી બંને હાથથી બંને બાજુની કમરને પકડો અને પગને ધીરે ધીરે એવી રીતે વાળો કે તમારા ઘૂંટણ તમારા માથાને અડકી જાય.આ જ સ્થિતિમાં પાંચ વાર શ્વાસ લો અને છોડો. પછી શ્વાસ લેતા લેતા સામાન્ય પરિસ્થિતિમાં આવી જાવ.
બદ્ધ પદ્માસન
પદ્માસનમાં બેસીને બંને હાથની પાછળ અદબ વાળી લો. પછી શ્વાસ છોડતાં છોડતાં ધીરે ધીરે માથાને આગળ નમાવો અને જમીનને સમાંતર માથું લઈ જાઓ. આવી રીતે પાંચથી સાત વાર શ્વાસ લો અને શ્વાસ છોડો. પછી સામાન્ય સ્થિતિમાં આવી જાવ.
અન્ય આસનો કર્યા બાદ છેલ્લે શવાસન કરવાથી શરીરને આરામ મળે છે. સીધા સૂઈ જઈને શરીરનાં બધાં અંગોને એકદમ ઢીલાં છોડી દો. બધાં જ ટેન્શનતાણને દૂર કરીને તમારું ધ્યાન બે ભ્રમરની વચ્ચે સ્થિર કરો. શ્વાસ લેવાની ક્રિયા એકદમ ધીરે ધીરે તથા હળવાશથી કરો. યોગ્ય પદ્ધતિથી કરેલું શવાસન શરીર તથા મગજને સંપૂર્ણ વિશ્રામ આપે છે. શવાસન કરવાથી શરીરને પૂરતો આરામ મળે છે.આપણે જે આસનો કરીએ છીએ તેનો લાભ શરીરને મળે અને આપણું શરીર ફરીથી તેના સામાન્ય મેટાબોલિક રેટ(ચયાપચય દર)માં આવી શકે.
આ રીતે નિયમિત યોગાસન કરવાથી તમે ધીરે ધીરે વજનમાં નોંધપાત્ર ઘટાડો કરી શકશો.તમે પોતે અનુભવી શકશો કે તમે એકદમ ફીટ અને તંદુરસ્ત રહો છો.કોઈ પણ યોગાસન ખાસ કરીને શીર્ષાસન જેવું આસન યોગનિષ્ણાતના માર્ગદર્શન હેઠળ કરવા જેથી કોઈ તકલીફ ન પડે.યોગાસન કરવા માટે સવારનો સમય ઉત્તમ છે. સવારે કરેલી યોગક્રિયા કે આસનોની અસર આખા દિવસની ચુસ્તી ર્સ્ફૂિતમાં વરતાય છે. 

શનિવાર, 26 ફેબ્રુઆરી, 2011

કોમ્પ્યુટર અને યોગ


કોમ્પ્યુટર અને યોગ







 


આજે જે પ્રકારે કોમ્પ્યુટર પ્રગતિ અને આધુનિકતાની ઓળખ બની ચુક્યુ છે, તેવી જ રીતે આજે યોગ પણ માનવીય સ્વાસ્થ્યના ક્ષેત્રમાં નવ ક્રાંતિ બનીને સમગ્ર દુનિયામાં ઝડપથી પ્રસરી રહ્યું છે. એ લોકો માટે કે જે કોમ્પ્યુટર પર સતત આઠથી દસ કલાક કામ કરીને કેટલાંય પ્રકારના રોગોનો શિકાર બને છે અથવા તણાવ કે થકાવટનો ભોગ બને છે.

નિશ્ચિત પણે કોમ્પ્યુટર પર સતતા આંખો લગાવી રાખવાથી નુકસાન તો થાય છે જ તેના સિવાય પણ એવી કેટલીક નાની-નાની સમસ્યાઓ પણ પેદા થાય છે. જેનાથી આપણે જાણતા-અજાણતા લડતા રહીએ છીએ. તો આવો જાણીએ કે આવી સમસ્યાઓથી કેવી રીતે છુટકારો મેળવી શકાય.

કોમ્પ્યુટર અને આરોગ્ય-
કોમ્પ્યુટર પર સતત કામ કરવાથી સ્મૃતિ દોષ, દૂરદ્રષ્ટિ કમજોર પડવી, ચિડિયાપણું, પીઠ દર્દ, અનાવશ્યક થાક વગેરે થાય છે. કોમ્પ્યુટર પર સતત કામ કરતાં રહેવાથી આપણું મસ્તિષ્ક અને આપણી આંખો એ પ્રકારે થાકી જાય છે કે કેવળ નિંદરથી તેમાં રાહત મળતી નથી. જોવામાં આવ્યું છે કે કોમ્પ્યુટર પર રોજ આઠથી દસ કલાક કામ કરનારા મોટાભાગના લોકોને દ્રષ્ટિદોષ થાય છે.

તેઓ કોઈને કોઈ નંબરના ચશ્મા પહેરવા લાગે છે. તેના સિવાય તેમનામાં સ્મૃતિ દોષ પણ જોવા મળે છે. કામના બોઝા અને દબાણના કારણે તેમનામાં ચિડિયાપણું સામાન્ય વાત બની ગઈ છે. એ વાત અલગ છે કે તેઓ ઓફિસનો ગુસ્સો ઘરે કાઢે છે. કોમ્પ્યુટરને કારણે જે ભારે શારીરિક અને માનસિક હાનિ પહોંચે છે, તેની ચર્ચા વિશેષજ્ઞો હંમેશા કરતાં રહે છે.

બચાવ-

પહેલી વાત આપનું કોમ્પ્યુટર આપની આંખોની બરાબર સામે રાખો. એવું ન હોય કે આપની આંખોની કીકી ઉપર ઉઠાવીને રાખવી પડે, તો જરા સિસ્ટમ જમાવી લો કે જે આંખોથી ઓછામાં ઓછી ત્રણ ફૂટ દૂર હોય. બીજી વાત કોમ્પ્યુટરર પર કામ કરતી વખતે પોતાની સુવિધાપ્રમાણે દર 5થી 10 મિનિટ બાદ 20 ફૂટ દૂ જોવો. જેના કારણે દૂર દ્રષ્ટિ કાયમ રહેશે. સ્મૃતિ દોષથી બચવા માટે પોતાના દિવસભરના કામને રાતના સમયે ઉલટાક્રમમાં યાદ કરો. જે પણ ખાન-પાન છે, તેના પર પુનર્વિચાર કરો. થાક મટાડવા માટે ધ્યાન અને યોગ નિંદ્રાનો લાભ લો.

કોમ્પ્યુટર પર વધારે બેસો છો તો આ વ્યાયામ કરવો


કોમ્પ્યુટર પર વધારે બેસો છો તો આ વ્યાયામ કરવો

આખો દિવસ કોમ્પ્યુટરની સામે બેસીને બેસી-બેસીને હાથ-પગ, આંખો અને આખા શરીરની ખરાબ હાલત થઈ જાય છે. આમ તો આ બધી સામાન્ય વાત છે પરંતુ આનો આપડા શરીર પર ઘણો પ્રભાવ પડે છે.

દિવસભર કાર્ય કરવા વાળા મોટા ભાગના લોકોમાં થોડા સમય પછી સ્વભાવ ચીડીયાપણો થઈ જાય છે અને તે માનસિક તણાવથી પણ પીડાઈ છે. જેનાથી તેમનુ પારિવારિક જીવન અને કાર્યક્ષમતા પણ પ્રભાવિત થાય છે. સમય હોય તો આ તણાવને દુર કરવાનો ઉપાય કરવામા આવે તો હમેશા ખુશ અને સ્વસ્થ રહી શકો છો. તમારી આંખોની રોશની હમેશા ચમક્તી રહેશે અને ચશ્મા વગેરેથી છુટકારો મળશે.

આ વ્યાયામ કરવો -
- કોમ્પ્યુટર પર કામ કરવા વાળા લોકોની આંખોમા સૌથી વધારે દબાણ પડે છે. એટલા માટે આંખોની સુરક્ષા માટે આંખોને ચારેય બાજુ ફેરવવી. પછી ગોળ ફેરવવી. આનાથી આંખોની રોશની વધશે અને આંખોને ઠંડક મળશે.
- બેઠા-બેઠા પીઠ દર્દ થવા લાગે તો આ દર્દને દુર કરવા માટે બન્ને હાથથી કોણીઓથી વાળી અને બન્ને હાથની આંગળીઓને ખભા પર રાખવી. પછી બન્ને હાથોની કોણીઓને ભેગી કરી અને શ્વાસ ભરતા કોણીઓને સામેથી ઉપરની તરફ લઈ જાવી. કોણીઓને ફેરવતા-ફેરવતા નીચેની તરફ શ્વાસ છોડતા-છોડતા લઈ જાવું. કોણીઓને વિપરીત દિશામાં ઘુમાવવી.
- ડોકના દર્દથી બચવા માટે ડોકને ડાબી-જમણી અને ઉપર-નીચે ફેરવવી. ગોળ-ગોળ ફેરવવી. આનાથી તમારી ડોકની પીડા દુર થઈ જશે.
- આ વ્યાયામ રોજ કરવાથી થોડા દિવસોમાં તમે માનસિક તણાવથી મુક્તિ પ્રાપ્ત કરી લેશો અને પછી સારામા સારા કામ કરી શકશો.

ટાઈપીંગથી આંગળીઓ દર્દ કરી રહી છે?



તમારો મોટા ભાગનો સમય કમ્પ્યુટર સામે કામ કરતા પસાર થાય છે. કમ્પ્યુટર પસ કામ કરતા તમારી આંગળીઓ થાકી જાય છે. એવામાં સ્વાભાવિક છે કે તમારી આંગળીઓમાં દર્દ થાય અને ટાઈપ કરતા તમારી આંગળીઓ થાકી જાય.
ઓફિસમાં કે અન્ય કોઈ જગ્યાએ કમ્પ્યુટર પર કામ કરતા થાકી ગયેલી આંગળીઓને કસરત આપવી ખૂબ જરુરી છે. થોડી કસરત કરવાથી તમે એ આંગળીઓનો થાક દૂર કરી શકો છો. આંગળીઓનો તણાવ સમાપ્ત થઈ જશે અને તમે તમારું કાર્ય વધુ સારી રીતે કરી શકશો.

કેવી રીતે કરશો આંગળીઓની કસરત

ખુરશી પર બેઠા બેઠા તમારા હાથને ખભાની બરાબર સામે લાવવા. બંને હથેળીઓને નીચે તરફ વાળીને મુઠ્ઠી વાળવી. મુઠ્ઠી વાળતી અંગૂઠો અંદરની તરફ રાખવો. બંને હથેળીઓને એકબીજા તરફ ફેરવવી. ગોળ ગોળ ફેરવવી અને બધી દિશાઓ તરફ વાળવી. આમ કરતી વખતે શ્વાસની ગતિ સામાન્ય રાખવી.
આ કસરત તમે દિવસમાં પાંચ- પાંચ મિનિટ સુધી કરી શકો છો. તેનાથી આંગળીઓ અને હાથનો તણાવ દૂર થી શકે છે.

બાળકો અને યુવાઓનો વ્યાયામ – પૂર્વોત્તાનાસન


બાળકો અને યુવાઓનો વ્યાયામ – પૂર્વોત્તાનાસન



પૂર્વોત્તાનાસનથી પાંસળી અને બરડાની માંસપેશીઓ મજબૂત થાય છે.

જો આપ આપના હાથની માંસપેશીઓને મજબૂત કરવા ઇચ્છતા હોવ તો આપના માટે યોગમાં પણ એવા આસનો છે જેના દ્વારા હાથની મજબૂતીમાં વધારો થઇ શકે છે. આ આસન બાળકો અને યુવાનો માટે સ્વાસ્થ્યવર્ધક છે.

પૂર્વોત્તાનાસનની વિધિ – 
સમતળ જમીન પર આસન પાથરો. બંને પગને સામેની તરફ ફેલાવી બેસી જાવ. પગ સીધા અને એકબીજા સાથે જોડેલા રાખો. બંને હાથને પાછળની તરફ અને નિતંબની નજીક જમીન પર રાખો, હાથ સીધા રહેશે અને આંગળીઓ પાછળની તરફ રહેશે. પાંસળીઓ પણ સીધી રાખો.
હવે શ્વાસને અંદર ભરો અને પોતાના હાથ પર દબાણ કરતા-કરતા કરને જમીનની ઉપર ઉઠાવો. જેથી સંપૂર્ણ શરીર સીધું થઇ જાય અને પગના તળીયા જમીનને સ્પર્શે. ગળાને પાછળની તરફ ઢીલું છોડી દો, આંખો ખુલ્લી રાખો અને શ્વાસ રોકો. આ સ્થિતિમાં પાંચ સેકંડ રોકાવ. ત્યારબાદ શ્વાસ છોડતા-છોડતા ધીમે-ધીમે કમરને નીચે લઇ આવો અને ફરીથી પ્રારંભિક સ્થિતિમાં આવી જાવ. આ આસન ત્રણવાર કરો.

સાવધાની – 
- આ આસનમાં શરીરનો ભાર હથેળી અને કાંડા પરઆવે છે. જેમનું કાંડુ ભાર ઉપાડવા માટે સક્ષમ ન હોય તેમણે આ આસન કરતી વખતે સાવધાની રાખવી અથવા આસન ન કરવું.
- જેમને હૃદયરોગ, અલ્સરની બીમારી હોય તેમણે આ આસન ન કરવું.

આસનના લાભ – 
- આ આસન બાળકો અને યુવાઓ માટે ફાયદાકારક છે.
- પૂર્વોત્તાનાસનથી પાંસળી અને બરડાની માંસપેશીઓ મજબૂત થાય છે.
- આ આસનથી ખભા અને હાથની માંસપેશીઓની શક્તિ વધે છે.
- આ આસન કમર દર્દને દૂર કરવામાં મદદરુપ બનશે.
- આ આસન દ્વારા ફેફસાનો વ્યાયામ થાય છે જેનાથી છાતીનો વિકાસ થાય છે.


હલાસન


હલાસન



આ આસન થાઇરોઇડ ગ્રંથિને પ્રભાવિત કરે છે. આ આસન કરવાથી કંઠકૂપો પર દબાવ પડે છે જેનાથી થાઇરોઇડ સંબંધી સમસ્યા દૂર થાય છે.

વિધીસમતળ જમીન પર આસન પાથરો. આસન પર શવાસનમાં સૂઇ જાવ. શ્વાસને અંદર ભરીને બંને પગને એકસાથે ઉપર તરફ ઉઠાવવાની શરૂઆત કરો. પગને ઉપની તરફ ઉઠાવતા ઉઠાવતા સર્વાંગાસનમાં આવો, પછી ચિત્ર અનુસાર બંને પગને માથાની પાછળ સુધી નમાવી જમીન પર સ્પર્શ કરાવો. આ દરમિયાન બંને પગના ઘૂંટણોને વળવા ન દો. પગને સીધા રાખો. બંને હાથની મદદથી પગના અંગૂઠા પકડી લો. હાથની કોણીને સીધી રાખો. થોડીક વાર આમ જ રોકાયા બાદ સામાન્ય રુપે શવાસનમાં આવી જાવ. શરીરના તણાવને દૂર કરવા માટે આસનના અંતે થોડીવાર શવાસનમાં રહો.
સાવધાની – આસન કરતી વખતે ધીરજ રાખવી. ઝડપ અને ઉગ્રતાભર્યો વ્યવહાર ન કરવો. જે લોકોને આંખ, હૃદય, ઉચ્ચ રક્તચાપ, કમર, પેટ, ડોક સંબંધિત બીમારી હોય તેમણે આ આસન ન કરવું.
લાભ- આ આસન થાઇરોઇડ ગ્રંથિને પ્રભાવિત કરે છે. આ આસન કરવાથી કંઠકૂપો પર દબાવ પડે છે જેનાથી થાઇરોઇડ સંબંધી સમસ્યા દૂર થાય છે. ભાવનાત્મક સંતુલન અને તણાવ નિવારણ માટે આ આસન લાભદાયક છે. આનાથી મેરુદંડ લચીલું બને છે જેનાથી વૃદ્ધત્વ મોડું આવે છે. આ આસન પાચનતંત્ર અને માંસપેશીઓને શક્તિ પુરી પાડે છે.


મુખની કાંતિમાં વધારો કરે છે વૃશ્ચિકાસન


મુખની કાંતિમાં વધારો કરે છે વૃશ્ચિકાસન


શરુઆતમાં થોડું કપરું લાગશે, પ્રયાસ કરવાથી મસ્તક અને પગથી વૃશ્ચિક જેવી આકૃતિ બનશે.

વિધિ- એકાંત સ્થળે સમતળ જમીન પર આસન પાથરવું. બેસીને બંને હાથની કોણીઓને થોડા-થોડા અંતરે જમીન પર ટેકવી દો. હવે શીર્ષાસનની જેમ મસ્તકને બે હાથની વચ્ચે ટેકવી પગને ઉપર લઇ જાવ. પગ ઉપર જાય ત્યારે માથાને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરો. શરુઆતમાં થોડું કપરું લાગશે, પ્રયાસ કરવાથી મસ્તક અને પગથી વૃશ્ચિક જેવી આકૃતિ બનશે. પૂર્ણ સ્થિતિમાં પગને માથાની ઉપર રાખવાનો અભ્યાસ કરો.
સાવધાનીઆસનનો અભ્યાસ ધીરજ પૂર્વક કરવો. ઝડપ કરીને શરીર પર વધારે જોર ન આપવું.
લાભ- આ આસન જઠરાગ્નિને તીવ્ર બનાવે છે અને ઉદરના રોગોને દૂર કરે છે. મૂત્ર વિકારોને દૂર કરે છે અને મુખની કાંતિમાં વધારો કરે છે.


વૃદ્ધાવસ્થાને દૂર રાખે છે ચક્રાસન


વૃદ્ધાવસ્થાને દૂર રાખે છે ચક્રાસન




શું તમે સદાય યુવાન રહેવા ઈચ્છો છો? તમે ઈચ્છો છો કે તમારી કમર હંમેશા અક્કડ રહે અને તમે ક્યારેય પણ વાંસાથી ઝુકી ના જાઓ, તો તમારે જરુર છે ચક્રાસનની.
ચક્રાસન કરવાની પ્રક્રિયા
સૌથી પહેલા સપાટ જમીન પર એક ચાદર પાથરી દો. હવે પીઠના સહારે સીધા સુઈને ઘુંટણને વાળો. પગની એડીને નિતંબની નજીક લઈ જાઓ. બંને હાથને ઉંધા કરીને પીઠની પાછળ થોડું અંતર રાખીને વાળો જેનાથી સંતુલન બની રહેશે.હવે ઉંડા શ્વાસ લઈને છાતીને ફુલાવો. ધીરે ધીરે હાથ અને પગને એકબીજાની નજીક લાવો. હાથ પગ નજીક આવશે ત્યારે શરીરનો આકાર ચક્ર જેવો બનશે. આસન પુરું કરતી વખતે શરીરને હળવું કરો અને ફરી જમીન પર સુઈ જાઓ. આ પ્રકારે 3થી 4 વાર આસનની મુદ્રા કરી શકો છો.
ચક્રાસનના લાભ
પીઠ તથા કમરના હાડકામાં લચીલાપણું જાળવી રાખે છે અને વૃદ્ધત્વને દૂર રાખવામાં મદદ કરે છે.શરીરમાં સ્ફુર્તિ, શક્તિ તેમજ તેજ વધારે છે. કટિપીડા, શ્વાસ રોગ, મસ્તિષ્ક દર્દ, અંધાપો તથા સર્વાઈકલ સ્પોન્ડોલાઈટીસમાં ખૂબ ફાયદાકારક છે.
ચક્રાસનથી હાથ પગની સ્નાયુઓ મજબૂત બને છે. મહિલાઓની ગર્ભાશયની તકલીફ દૂર થાય છે.



યોગા એક સમજ.


યોગા એક સમજ



માનવજાતિએ પ્રગતિના અનેક સોપાનો સર કર્યા છે. એક વખત અસંભવ ગણાતા કાર્યો આપણે કરી બતાવ્યા છે. આપણા પૂર્વજોએ સપનામાઓમાં પણ કલ્પના કરી ન હોય તેવી પ્રાપ્તિઓ અને સિદ્ધિઓ આપણે મેણવી છે. વૈજ્ઞાનિક સંશોધન અને આવિષ્કારોએ આજે જીવનની કયા પલટ કરી નાખી છે વિજ્ઞાન સુખ સગવડના નિત નવા સાધનો માનવજાતિના ચરણે ધરતું જાય છે.પરંતુ પ્રદુષિત હવા પાણી, પ્રદુષિત શરીર તેમજ પ્રદુષિત મન પણ વિજ્ઞાનની જ નીપજ છે. આજના યુવાનોના ચહેરાઓ પર આ નિરાશા અને આ વ્યથા શું કામ છે? તેમજ શુષ્ક અને નિસ્તેજ આંખોમાં અજંપો કેમ દેખાય છે? 
આજે આપણે પોતાને આધુનિક અને સુસંસ્કૃત માનીએ શકીએ, પરંતુ સુખી તો નહિ જ. ઊંઘ માટે નીદ્રાકારક ગોળીઓ, મળ વિસર્જન માટે જુલાબની ગોળીઓ અને શક્તિ જાળવવા ટોનીકો વગર આપણને ચાલતું નથી. પીડાનાશક અને ઘેનકારક દવાઓનું ચલણ વધતું જાય છે. યુવાનો આજે માદક પદાર્થો તરફ વળી રહ્યા છે અને અવનતીની ખીણમાં સરકી રહ્યા છે.
સંપતિની લાલસાએ આપણાં હૃદયોને પોષાણ બનાવ્યા છે. જીવન મુલ્યોનો હ્રાસ થતો જાય છે. ઘડિયાળના કાંટે દોડતા સ્પ્ર્ધાતામ્ક જીવને તીવ્ર માનસિક તાણને જન્મ આપ્યો છે. આ તાનના દુષ્પરિણામો પ્રગટ થતા જાય છે. ડાયાબીટીસ અને કેન્સર જેવા બંધારણીય રોગો તેમજ એસીડીટી, હોજરીના ચાંદા, આધાશીશી તથા લોહીના ઊંચા દબાણ જેવા મનોશારીરિક રોગોએ માજા મૂકી છે. 
આ માનસિક તાણને, આ અવનીતને આપને કેવી રીતે અટકાવીશું? શું આપણે ગુફાઓમાં પાછા ફરીને આદિમાંનવો જેવું જીવન જીવીશું? 
વાસ્તવમાં તેમ કરવું ન તો વ્યવહારુ છે, ન જરૂરી. માનવીની શારીરિક બીમારીઓ કે માનસિક યાતનાઓનો સચોટ ઈલાજ "યોગ" પાસે છે. યોગ અંગો અને અવયવોને કાર્યરત બનાવીને શરીરની આંતરિક પ્રક્રિયાઓ પર શુભ અસર કરે છે. યોગ જીવન પ્રત્યેની માનવીની દ્રષ્ટિમાં અને તેના અભિગમમાં શુભ ફેરફારો ઉત્પન્ન કરે છે. યોગ શબ્દ હ્યુજ ધાતુ ઉપરથી બન્યો છે, જેનો અર્થ જોડાણ કે સંધાન થાય છે. યોગ ઘ્વારા આત્મા અને પરમાત્માનું જોડાણ થાય છે.
આપણાં ઋષિમુનીઓએ શરીર, મન અને પ્રાણની શુદ્ધિ તેમજ પરમાત્માની પ્રાપ્તિ માટે યોગના આઠ અંગો સૂચવ્યા છે. આ આઠ અંગો છે :: 
૧. યમ 
૨. નિયમ 
૩. આસન 
૪. પ્રાણાયામ 
૫. પ્રત્યાહાર 
૬. ધારણા 
૭. ધ્યાન
૮. સમાધિ . .


યોગના ૮ અંગો નું વિસ્તૃત વર્ણન


(1) યમ'યમ' નો અર્થ થાય છે ; યમ પાંચ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. મન, વચન અને કર્મ દ્વારા કોઈ પણ પ્રાણીને કષ્ટ ન પહોચાડવું એટલે 'અહિંસા'. મનમાં જે સમજ્યા હોય, આંખ વડે જે જોયું હોય અને કાન વડે જે સાભળ્યું હોય તેની તેજ રીતે કોઈ વસ્તુને રજુ કરી દેવી એનું નામ 'સત્ય'.'અસ્ત્યેય' એટલે મન, વચન કર્મથી ચોરી ન કરવી અને બીજા ના ધનની લાલચ ન કરવી. સમસ્ત ઇન્દ્રિયો સહિત કામવિકાર પર સંયમ રાખવો તેનું નામ 'બ્રહ્મચર્ય' જયારે 'અપરિગ્રહ' એટલે ભોગસામગ્રીનો ત્યાગ . 
(2) નિયમ 

નિયમ પણ પાંચ છે. :: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણીધાન. 
'શૌચ' એટલે શરીર અને મનની પવિત્રતા
અનુકુળ કે પ્રતિકુળ સ્થિતિમાં પણ પ્રસન્નચિત રહેવાના ગુણને 'સંતોષ' કહેવામાં આવે છે. સુખ - દુ:ખ, ઠંડી-ગરમી જેવી તકલીફોને સહન કરીને કરવામાં આવતી તન અને મનની સાધનાને 'તપ' કહેવાય છે.વિચાર-શુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ માટે જે વિચારોનું આદાન - પ્રદાન કરવામાં આવે તેને 'સ્વાધ્યાય' કહેવામાં આવે છે. જયારે મન, વાણી અને કર્મથી ઈશ્વરની ભક્તિ કરવી અને સર્વ કર્મો ઈશ્વરને સોપવામાં 'ઈશ્વરપ્રણીધાન' કહેવામાં આવે છે.
(3) આસન 
શરીર સ્થિર રહે અને મનને સુખ પ્રાપ્ત થાય એ જાત ની શરીરની સ્થિતિને આસન કહેવામાં આવે છે. આસન કરવાથી નાડીઓની શુદ્ધિ, સ્વાસ્થ્યની વૃદ્ધિ અને તન-મનની સ્ફૂર્તિ પ્રાપ્ત થાય છે. આસનો અનેક છે. પરંતુ વ્યક્તિના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ૬૫ આસનોની ચર્ચા કરવામાં આવી છે. 
(4) પ્રાણાયામ
'પ્રાણાયામ' નો શાબ્દિક અર્થ 'પ્રાણ પરનો કાબૂ' થાય છે. આ રીતે પ્રાણાયામ નો ઉદ્દેશ શરીરમાં વ્યાપ્ત પ્રાણશક્તિને ઉત્પ્રેરિત, સંચારિત, નિયમિત અને સંતુલિત કરવાનો હોય છે. જેવી રીતે શરીરની શુદ્ધિ માટે સ્નાનની જરૂર હોય છે તેવી રીતે મનની શુદ્ધિ માટે પ્રાણાયામની જરૂર હોય છે.

(5) પ્રત્યાહાર
જે અવસ્થામાં ઇન્દ્રિયો પોતાના બાહ્ય વિષયોમાંથી મુક્ત થઇને અંતર્મુખી બને છે તે અવસ્થાને 'પ્રત્યાહાર' કહેવામાં આવે છે. એનાથી પ્રબળ મન અને સ્વેચ્છાચારી ઇન્દ્રિયો શાંત બને છે. ભગવાનની અપાર શક્તિઓનો આભાસ થાય છે અને સાધક ઈશ્વરમાં લીન થાય છે.

(6) ધારણા
શુદ્ધ ચિતને ઈષ્ટદેવની મૂર્તિમાં કે પ્રદેશમાં લગાવી દેવું તેને ધારણા કહેવામાં આવે છે. ધારણાની મદદથી શાંત ચિતને કોઈ એક જગ્યા ઉપર સફળતાપૂર્વક કેન્દ્રિત કરી શકાય છે.

(7) ધ્યાન
ધારણા દ્વારા ચિત્તવૃતિને જે વિષયમાં લગાવી હોય તે વિષયમાં તેને સતત ચાલુ રાખવી તેને 'ધ્યાન' કહેવામાં આવે છે. ધ્યાનની મદદથી મનના રાજસ તેમજ 'મલ' નાશ થાય છે અને સાત્વિક ગુણોનો વિકાસ થાય છે.

(8) સમાધિ
જયારે માત્ર ધ્યેય - સ્વરૂપનું ભાન રહે ત્યારે ધ્યાનમાંથી 'સમાધિ'ની સ્થિતિ સર્જાય છે. ચિત ધ્યેયાકારને પ્રાપ્ત કરે -ધ્યેયમાં તન્મય થઇ જાય છે. વિક્ષેપો અર્થાત 'સાંસારિક પ્રલોભનો - વિક્ષેપોને' લીધે ચિતની એકાગ્રતા ઓછી થાય છે એટલા માટે શક્ય હોય તેટલું વિક્ષેપોથી દુર રહી ચિતની એકાગ્રતા વાદહ્રવી જોઈએ. સમાધિ ધ્યાનની ચરમસીમા છે.


ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણેયના સમુહને યોગશાસ્ત્રમાં 'સંયમ' કહેવામાં આવે છે, જયારે પહેલા પાંચ અંગો - યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રતાયાહારને 'બહિરંગ યોગ' કહેવામાં આવે છે.

આમ આસનો એ અષ્ટાંગ યોગનું માત્ર એક અંગ છે. યોગાભ્યાસી કહેવાતા અનેક લોકો ખરેખર તો માત્ર આસનો જ કરતા હોય છે. પરંતુ યોગના આઠે અંગો મહત્વના છે. બધા અંગો એકસાથે અપનાવવાથી આસનો એ પ્રાણાયામ ધ્વારા થતા લાભો વધુ પ્રમાણમાં અને સ્થાયીરૂપે થાય છે.

આ આઠેય અંગોને સમજપૂર્વક જીવનમાં ઉતારવામાં આવે તો મનુષ્યની અંદર ધર્મપારાયણતા, સદાચારીપણું અને સચ્ચારીત્રાય જેવા ઉદાત ગુણો વિકસે છે તેમજ મનુષ્યની માનસિક, શારરિક અને આધ્યાત્મિક ઉન્નતી થાય છે તથા તે સંપૂર્ણ રીતે શારરિક
અને માનસિક સ્વાસ્થ્ય મેળવે છે.

ઉચ્ચ રક્તચાપનાં કારણો અને બચવાના ઉપાય


ઉચ્ચ રક્તચાપનાં કારણો અને બચવાના ઉપાય





ઉચ્ચ રક્તચાપ આજના યુગનો એક ગંભીર રોગ છે. આ રોગ વિશે સૌથી ખતરનાક વાત એ છે કે આ રોગ ઘણાં વર્ષો સુધી માણસના શરીરમાં ગુપ્ત રીતે રહે છે. ઉચ્ચ રક્તચાપની પ્રારંભિક અવસ્થામાં આ રોગ ચૂપચાપ શરીરમાં પોતાનું વર્ચસ્વ જમાવે છે અને શરીરનાં અંગોને નુકસાન પહોંચાડતો રહે છે. આ જ કારણે આ રોગથી પીડાતા વ્યક્તિને જ્યારે આ રોગની જાણકારી થાય છે ત્યાં સુધી તો આ રોગ તેમના મગજહૃદયકિડની અને આંખોને પણ નુકસાન કરી ચૂક્યો હોય છે. આ રોગ આજના ભૌતિક અને આધુનિક યુગની દેણ છે. આજ તો સ્થિતિ છે કે ૪૦ વર્ષની ઉંમર પછી ૧૦માંથી એક વ્યક્તિ ઉચ્ચ રક્તચાપથી પીડિત છે. કારણ કે આ રોગ ઘણાં વર્ષો સુધી શરીરમાં ગુપ્ત રીતે રહે છે તેથી ૯૦ ટકા આ રોગનો ઉપચાર થતો નથી. ઉચ્ચ રક્તચાપ અને હૃદયરોગ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. ઉચ્ચ રક્તચાપ અસામાન્ય રક્તદબાણવાળા વયસ્ક વ્યક્તિની એ અવસ્થા હોય છે જે આંતરિક કારણોથી તેનું રક્તદબાણ વધતાં ૧૪૦ / ૯૦ની લક્ષ્મણરેખા ઓળંગી જાય છે.
ઉચ્ચ રક્તચાપની ફરિયાદ મોટાભાગે ૪૦ વર્ષની ઉંમર પછી ઊભી થાય છે. ઉંમર વધવાની સાથે સાથે રક્તાહિનીઓ સખત થઈ જાય છે. જાન્યુઆરીફેબ્રુઆરીમાર્ચએપ્રિલ મહિનામાં રોગીઓમાં રક્તચાપ વધે છે. ઓગસ્ટસપ્ટેમ્બરઓક્ટોબર મહિનામાં આ રોગ ઓછો વિતાડે છે. મેજૂનજુલાઈમાં પરસેવાને કારણે રક્ત શુદ્ધ થતું રહે છે. તેથી આ મહિનામાં અકસર રોગીઓનો રક્તચાપ સામાન્ય રહે છે.
લક્ષણ
રોગની શરૃઆતમાં રોગીમાં આ રોગના કોઈ સ્પષ્ટ લક્ષણ દેખાતાં નથી. પણ જ્યારે રોગ જૂનો થઈ જાય છે ત્યારેજ્યારે રોગી સવારે સૂઈને ઊઠે છે ત્યારે તેની ગરદન અને માથાની પાછળના ભાગમાં દરદ થાય છે.
ઘણીવાર રોગીને ચક્કર આવવા માંડે છે અને તેમને નબળાઈ જેવું લાગે છે.
રોગીના હૃદયના ધબકારા વધી જાય છેથોડી પણ મહેનતથી રોગીનો શ્વાસ ફુલે છેરોગીને માનસિક તણાવ પણ થાય છેરોગીને ઊંઘ આવતી નથી.
આ રોગમાં ઘણા લોકોને ડાબા ખભા અથવા છાતીમાં દુખાવો થાય છે.
શરીરમાં થાકનો અનુભવ થાય છે.
રોગની ગંભીર સ્થિતિમાં રોગીના માથામાં દુખાવો રહ્યા કરે છે અને રાત્રે રોગીનો શ્વાસ ફુલવા માંડે છે.
કારણ વગર જ રોગીના નાક અને પેશાબની સાથે લોહી આવવા માંડે છે.
રોગીનું વજન સતત વધતું જાય છે.
રોગીની આંખો લાલચોળ રહે છે. ઘણીવાર આંખોમાં કાળો મોતિયો આવી જાય છે.
કારણ
૮૫ ટકા બાબતોમાં તપાસ્યા પછી પણ ઉચ્ચ રક્તચાપના ખરા કારણો વિશે ખબર જ નથી પડતી. આ અવસ્થાને પ્રાયમરી હાઈપરટેન્શન કહેવાય છે. આમ તો આ પ્રકારના બ્લડપ્રેશરના કારણ વિશે ખબર જ નથી પડતી. પણ આના કેટલાંક નિશ્ચિત કારણો વિશે જાણી શક્યાં છે. આ કારણોમાં છે આજની આરામભરી જીવનશૈલીધૂમ્રપાનવારસાગતદોડભાગવાળી જિંદગીને કારણે જીવન પર પડનારા કુપ્રભાવખરાબ ટેવોઆળસુ જીવનએકાંકી જીવનહતાશા,નિરાશા અને વ્યગ્રતાભર્યા પળ. આ બધાં કારણોથી બ્લડપ્રેશરમાં વૃદ્ધિ થાય છે.
દિવસમાં સૂવુંતણાવમાનસિક ચિંતાભયશોકઊંઘ ન આવવાને કારણે પણ ઉચ્ચ રક્તચાપની સમસ્યા ઊભી થઈ શકે છે.
ડાયાબિટીઝગુર્દાની પથરીગુર્દામાં સોજોકોલેસ્ટ્રોલમાં વધારાને કારણે હાઈબ્લડપ્રેશર થઈ શકે છે.
હંમેશાં તણાવભર્યા વાતાવરણમાં જીવવાથીસ્નાયુઓના રોગોથી મહેનતુ લોકોરાત - દિવસ શારીરિકમાનસિક કાર્યમાં પ્રવૃત્ત લોકોને પણ આ રોગ થઈ શકે છે.
ખાનપાનની અનિયમિતતાભેળસેળવાળા ખાદ્યપદાર્થ ખાવાથી જંતુનાશકો અને રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ પણ ઉચ્ચ રક્તચાપનું કારણ બને છે.
બચવાના ઉપાય : જડીબુટ્ટીઓ દ્વારા ઉચ્ચ રક્તચાપ પર સારી રીતે કાબૂ મેળવી શકાય છે.
જડીબુટ્ટીઓનો ઉપચાર
જટામાસીશંખપુષ્પીસર્પગંધાબ્રાહ્મી અને વચનું ચૂરણ સરખા પ્રમાણમાં મેળવી લો. તેમાં આના કરતા અડધા પ્રમાણમાં અકીક પિષ્ઠી મેળળી એક શીશીમાં ભરી લો. ઉચ્ચ રક્તચાપના રોગી વ્યક્તિએ નિયમિત રૃપે આ મિશ્રણમાંથી ચતુર્થાંસ ચમચી જેટલું ઠંડા પાણી સાથે લેવું અને ખાનપાન પર સારી રીતે નિયંત્રણ રાખો તો રોગ ઉગ્ર થતો નથી.
હરડબહેડાઆંબળા અને સર્પગંધાનું સરખા પ્રમાણમાં ચૂરણ લો. તેનેે સીલના પાંદડાના રસ સાથે સારી રીતે ખલમાં ઘોંટો. સૂકાય ત્યારે કોઈ વસ્તુમાં ભરી લો. તેમાંથી અડધી ચમચી જેટલું દિવસમાં બેવાર તાજાપાણી સાથે લેવું જોઈએ.
લસણને પાણીમાં ઉકાળી ગાળી લો. આ પાણીને દિવસમાં વારંવાર પીઓ. આમ કરવાથી ધમનીઓમાં જામેલી ચરબી નીકળવા માંડશે અને રક્તચાપ સામાન્ય થશે.
યૌગિક ઉપચાર : શવાસન અને શ્વસન ક્રિયાઓ દ્વારા અનુલોમ - વિલોમચંદ્ર અનુલોમ - વિલોમ દ્વારા ઉચ્ચ રક્તચાપના રોગી લાભ લઈ શકે છે.
પ્રાકૃતિક ઉપચાર : એમાં જરાપણ શંકા નથી કે પ્રાકૃતિક ઉપચાર દ્વારા રક્તચાપ ઓછું કરવામાં સફળતા મેળવી શકાય છે. જળ ચિકિત્સા અને માટી ચિકિત્સા દ્વારા રોગને કાબૂમાં કરી શકાય છે. માટી ચિકિત્સામાં રોગીના આખા શરીર પર માટીનો લેપ કરવામાં આવે છેપણ કરોડ અને માથા પર માટીની પટ્ટીઓ મૂકવામાં આવે છે અને તપેલી રેતનું સ્નાન કરાવવામાં આવે છે. જળ ચિકિત્સામાં રોગીને સૌપ્રથમ એનિમા આપવામાં આવે છે. પછી ગરમ પાદપ સ્નાન કરાવવામાં આવે છે. જળ માલિશ સાથે સ્નાન કરવામાં આવે છે. ઠંડું કટિ સ્નાનકરોડનું ઠંડું સ્નાનપૂરી ભીની ચાદર લપેટ અને સૌમ્ય બાષ્પ સ્નાન રોગીને કરાવવામાં આવે છે.
આહાર પથ્ય
મીઠું ઓછું ખાવું જોઈએ.
ડેરી ઉત્પાદનોખાંડરિફાઈન્ડ ખાદ્યપદાર્થોતળેલી શેકેલી વસ્તુઓકેફીન અને જંકફૂડનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
બાજરોઘઉંનો લોટજુવારઆખા મગ તથા અંકુરિત દાળોનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ.
પાલકફુલાવરબથવો જેવા લીલા શાક તથા દૂધીલીંબુતૂરિયાફુદીનોપરવળસરગવો,કોળુંટિન્ડા કારેલા વગેરે ખાવા જોઈએ.
અજમોમુનક્કા અને આદુંનું સેવન રોગીને ફાયદો પહોંચાડે છે.
ફળોમાં મોસંબીદ્રાક્ષદાડમપપૈયુંસફરજનનારંગીજાયફળઅનાનાસ વગેરે આપી શકો છો.
બદામ અને મલાઈ વિનાનુંદૂધછાશસરસિયાનું અને સૂરજમુખીનું તેલશુદ્ધ ગાયનું ઘી,ગોળખાંડમધમુરબ્બો વગેરે લઈ શકાય છે.
અપથ્ય
કેકપેસ્ટ્રીનાનરૃમાલી રોટલીનૂડલ્સપિત્ઝાબર્ગરતળેલા અને ડબ્બાબંધ ખાદ્યપદાર્થ,માખણઘીમાવોમલાઈ વગેરેનું સેવન કરવું નહીં.

યોગ કરવાથી કોઈપણ પ્રકારનો દુખાવો ઓછો થઈ જાય


યોગ કરવાથી કોઈપણ પ્રકારનો દુખાવો ઓછો થઈ જાય






રોજે રોજ યોગ કરવાથી શરીરમાં થતા અનેક પ્રકારના દુખાવા મટી જાય છે તેમ તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. સર્વેક્ષકોના જણાવ્યા અનુસાર શરીરમાં જાતજાતના દુખાવા ઉંમર વધવાને કારણે અને તાણને કારણે થતા હોય છે. બંનેના કારણે લોહીમાં અનેક પ્રકારનો કચરો વધવાથી દુખાવાને જન્મ આપે છે. યોગ કરવાથી લોહીમાંથી એ બધો કચરો ગળાઈ જાય છે.
  • યોગ કરવાથી કોઈપણ પ્રકારનો દુખાવો ઓછો થઈ જાય
  • નિયમિત યોગ કરવાથી દુખાવો થતો અટકે અને તાણ માનસિક તાણ અટકી જાય
આ સંશોધન કરનાર ઓહાયો યુનિર્વિસટીના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રોજેરોજ યોગ કરનાર મહિલાઓના લોહીમાં સાયટોકિન ઈન્ટરલ્યુકેન નામનું તત્ત્વ નોંધપાત્ર પ્રમાણમાં ઓછું થઈ જાય છે. આ તત્ત્વ શરીરમાં દુખાવો કરનાર મહત્ત્વનું તત્ત્વ હોય છે. તે હૃદયરોગટાઈપ-ટુ ડાયાબીટિસ, સંધિ-વા જેવા અનેક રોગોમાં  દુખાવો કરાવનાર મૂળ કારણ જણાયું છે. આ તત્ત્વમાં ઘટાડો કરીને દુખાવો ઘટાડવાથી આરોગ્ય પર તાત્કાલિક અને દૂરોગામી એમ બંને પ્રકારની અસરો વર્તાય છે.
ડો. જેનિસ કિકોલ્ટ ગ્લાસેર ને તેમની ટુકડીના સંશોધકોને જાણવા મળ્યું હતું કે રોજેરોજ યોગ કરવાથી દુખાવો ઓછો થઈ જાય અને મટી જાય એ લાભ ઉપરાંત ફરીથી માનસિક તાણની સ્થિતિ સર્જાય તો તેના કારણે દુખાવો થવાનું પ્રમાણ પણ ઘટી જાય છે. એટલે કે નિયમિત યોગ ભાવિ દુખાવાઓને પણ ઘટાડી આપે છે. વધુમાં નિયમિત યોગ કરવાથી વિપરીત સંજોગો સામે શરીર હળવાશથી પ્રત્યાઘાત આપે છે એટલે તાણનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે.
આ અભ્યાસ માટે સંશોધકોએ સરેરાશ ૪૧ વર્ષની મહિલાઓની એક ટુકડી પર પ્રયોગ કર્યો હતો. તેના પરિણામે સ્પષ્ટ રીતે યોગની સકારાત્મક અસરો જોવા મળી હતી. સંશોધકોની ટુકડીના અનેય નક નિષ્ણાત રોન ગ્લાસેરે જણાવ્યું હતું કે દુખાવો અનેક રોગોને વકરાવી દે છે તે તો જાણીતી વાત છે. એ દુખાવાને રોકવાનો અને ઓછો કરવાનો સૌથી આનંદદાયક અને સરળ ઉપાય યોગ છે. નિયમિત યોગ કરવાથી વધતી ઉંમરની નબળાઈઓ અને રોગો સામે લાંબા સમય સુધી શરીર ઝીંક ઝીલી શકે છે. એટલે કે લાંબા સમય સુધી આરોગ્યપ્રદ અને આનંદમય જીવન જીવી શકાય છે. આ અભ્યાસના અહેવાલ સાયકોસોમેટિક મેડિસિન નામના જર્નલમાં પ્રગટ કરવામાં આવ્યો હતો.
 

તમાકુનું વ્યસન છોડવા ઉપયોગી થશે યોગાસન

તમાકુનું વ્યસન છોડવા ઉપયોગી થશે યોગાસન








યોગ ભગાવે રોગ - બાબા રામદેવ
પ્રાચીનકાળથી જ મનુષ્ય આનંદ,શાંતિતણાવથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરતો આવ્યો છે. પણ આ બધું સરળ રીતે મેળવી ન શકવાને કારણે બીજી અનેક પદ્ધતિએ વિભિન્ન માદક દ્રવ્યોનો ઉપયોગ કરતો રહ્યો છે. જેમકેધતૂરાનાં બીસોમરસ,ભાંગગાંજો વગેરે... આધુનિક સમયમાં તેની સાથે સાથે બીજા પદાર્થો પણ તેમાં ભળી રહ્યા છેજેમકે હેરોઈનચરસકોકેઇન,અફીણ વિભિન્ન પ્રકારની ઊંઘની ગોળીઓ તથા તમાકુસિગારેટગુટકાજર્દા વગેરે...
આ બધામાં તમાકુ સૌથી વધુ અસરકારક માદક અને ઝેરીલો પદાર્થ છે. જે વ્યક્તિને આ બધા નશા કરતાં પણ વધુ હાનિ પહોંચાડે છે.
આ એક એવું વ્યસન છેજેને સામાજિક માન્યતા મળેલી છે. વ્યક્તિ અન્ય નશાનો ઉપયોગ કરતી વખતે સમય અને સ્થાનનું ભાન રાખે છેપરંતુ તે તમાકુનો ઘર-બહારરાત-દિવસ બધી જ જગ્યાએ સંકોચ વિના ઉપયોગ કરે છે.
તમાકુને મુખ્યરૃપે ત્રણ પ્રકારે વાપરવામાં આવે છે.
ખાવાના રૃપે જેમ કે-ગુટકાજર્દાખૈની વગેરે.
નાક દ્વારા સૂંઘવાના રૃપે - છીંકણી વગેરે.
ફૂંકીને પીવાના રૃપે - ધૂમ્રપાન દ્વારા જેમ કેબીડીસિગારેટ હુક્કો વગેરે...
પ્રભાવ : ત્રણેય પ્રકારે વપરાતી તમાકુ શરીરની અંદર નિકોટીન નામનું ઝેર લોહીમાં ઘોળે છેજે થોડા જ વખતમાં આપણા શરીરમાં ફેલાઈ જાય છે. તથા કૃત્રિમ ઉત્તેજના પેદા કરે છે. જેથી પીનારાઓને નકલી તાજગીનો અહેસાસ થાય છે. ધીરે ધીરે શરીર આની માત્રાને વધારવા માંડે છે અને આ ઝેરીલા નશામાં એકદમ જકડાઈ જાય છે.
તમાકુની અંદર રહેલાં ઝેરીલાં તત્ત્વો : તમાકુમાં લગભગ ચાર હજાર પ્રકારના ગલનશીલ જ્વલનશીલ ઝેરીલા રસાયણ પદાર્થ છેજે માનવ શરીરમાં કેન્સર અને બીજા અસાધ્ય રોગ માટે જવાબદાર છે. જેમ કે કૈડમિયમ આર્સેનિકપારોકાર્બન મોનોકસાઇડનિકોટિનડીડીટી,સીસુએસીટોનહાઈડ્રોજન સાઈનાઈસયૂરેથીનફિનાઈલફારમલ્ડડાઈટબ્યૂટેનફિનોલ,નિકામનાઈટ્રોજનસલ્ફેટપોલોનિયમબેન્જીનઆઈસોથ્રીનજે શરીરમાં એકદમ ઘાતક બીમારીઓ સાથે કેન્સર ઉત્પન્ન કરે છે.
આપણે ધૂમ્રપાન કરીએ તો?
૧૦ સેકન્ડમાં જ ધુમાડો મગજમાં પહોંચી જાય છે.
તમાકુથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છેજેથી ચેપી બીમારીઓનો ભય વધી જાય છે.
તમાકુના ઝેરીલા પદાર્થ શરીરના દરેક ભાગમાં પહોંચી જાય છે.
ધુમ્રપાનથી શરીરની કોશિકાઓને પૂરતો ઓક્સિજન મળતો નથી.
ધૂમ્રપાન શરીરના દરેક ભાગને પ્રભાવિત કરે છે. રોગપ્રતિકારક શક્તિ ન હોવાને કારણે ફેફસાંના રોગદમઅસ્થમામોઢાનું કેન્સરફેફસાંનું કેન્સરટીબી વિશે તો પહેલેથી જ ખબર છે પણ નવું સંશોધન કહે છે કે તેનાથી દાંતના રોગ પણ થાય છે. અમેરિકાનો લશ્કરી અહેવાલ કહે છે કે ધૂમ્રપાન કરનારી વ્યક્તિને ઓપરેશન દરમિયાન વધુ ખતરો રહે છે.
૯૦ ટકા પુરુષોને ફેફસાંનું કેન્સર તથા ૮૦ ટકા મહિલાઓમાં કેવળ ધૂમ્રપાનથી જ ફેફસાંનું કેન્સર થાય છે. ધૂમ્રપાન કરનારાને પોતાને તો નુકસાન થાય છે જ સાથે પત્નીબાળકો અને નજીક બેસનારાઓ (પેસિવ સ્મોકિંગ)ને પણ એટલું જ નુકસાન થાય છે.
તમાકુ છોડયાના ૨૦ મિનિટ પછી જ
હૃદયની ગતિ થોડી સામાન્ય થઈ જાય છે.
૧૨ કલાક પછી લોહીમાં કાર્બન મોનોક્સાઈડનું સ્તર ઓછું થઈ જાય છે.
બે મહિના પછી હૃદય પરનો હુમલો થવાનો ભય ઓછો થઈ જાય છે. ફેફસાંની કામ કરવાની ક્ષમતા વધી જાય છે.
૩ મહિના પછી ઉધરસ ઓછી થઈ જાય છે. તથા શ્વાસ સારી રીતે ચાલે છે અને નિસરણી ચઢતી વખતે શ્વાસ ઓછો ફૂલે છે.
હૃદયની બીમારીનો ખતરો ઘટી જાય છે.
(અડધો થઈ જાય છે)
પાંચ વર્ષ પછી બ્રેઇન હેમરેજ તથા હૃદય પર હુમલો થવાનો ખતરો ઓછો થઈ જાય છે. ૧૦-૧૫ વર્ષ પછી ખતરો ન પીનારા સમાન થઈ જાય છે.
૧૦ વર્ષ પછી ફેફસાંના કેન્સરનો ખતરો અડધો થઈ જાય છે. ગળુંમોંજીભકિડની,પિત્તાશયના કેન્સરનો ખતરો ઘટી જાય છે.
૧૫ વર્ષ પછી શરીરમાં બીમારીઓનો ખતરો ન પીનારાની માફક થઈ જાય છે.
ધૂમ્રપાન કેવી રીતે છોડવું?
ધૂમ્રપાન કરનાર વ્યક્તિઓમાંથી ૭૫થી ૮૫ ટકા વ્યક્તિ આને છોડવા ઇચ્છે છેપરંતુ યોગ્ય માર્ગદર્શન અને ઇચ્છાશક્તિના અભાવે તેઓ છોડી શકતા નથી.
તમાકુ છોડવાનો એકમાત્ર ઉપાય આપણી ઇચ્છાશક્તિ પર નિર્ભર કરે છે. ચિકિત્સા વિજ્ઞાન એવી કોઈ દવા નથી બનાવી શક્યું કે જે વ્યક્તિને એકદમ ધૂમ્રપાનથી છુટકારો અપાવી શકે. ફક્ત દૃઢ ઇચ્છાશક્તિથી જ તેને છોડી શકાય છે. બીજી બાજુ આપણે ધુમ્રપાન છોડવા માટે નિકોટિન ચ્યૂઇંગમતથા થોડી ટેબલેટ જે તમાકુની લતને ઓછી તો કરે છે. ડોક્ટરની સલાહ મુજબ તેનું સેવન કરી શકાય છે.
તમાકુ છોડતી વખતે ગભરામણબેચેનીકબજિયાતભૂખ ન લાગવીચીડિયાપણુંકામમાં મન ન લાગવું વગેરે લક્ષણ ઉત્પન્ન થાય છે. જેને આપણે સામાન્ય દવાઓવ્યાયામ અને યોગ દ્વારા ઓછી કરી શકીએ છીએ. તમાકુ છોડવાની રીત ધીરે ધીરે છોડવા કરતાં એકદમ છોડવું અસરકારક છે.
યોગ-પ્રાણાયામ કરશે મદદ
યોગાસન અને પ્રાણાયામ દ્વારા આપણે આપણી ઇચ્છાશક્તિને મજબૂત કરીતમાકુ છોડતી વખતે ઉત્પન્ન થતી નાની નાની સમસ્યાઓ પર નિયંત્રણ રાખી શકીએ છીએ.
ભસ્ત્રિકા પ્રાણાયામ-ફેફસાંની ક્ષમતા વધારવા માટે.
કપાલભાતિ પ્રાણાયામ-કબજિયાતગેસને દૂર કરવા માટે.
અનુલોમ-વિલોમ પ્રાણાયામ- તણાવચીડિયાપણુંબેચેની ઓછી કરવામાં મદદરૃપ બને છે.
ભ્રામરી - માથાનો દુખાવોઅનિંદ્રાથી મુક્તિ મેળવવા.
ઉપરાંત યોગનિંદ્રા ઉદ્ગીથ પ્રાણાયામ તથા હાથપગકમરની સૂક્ષ્મ ક્રિયાઓભુજંગાસન,મર્કટાસનશલભાસનમકરાસનબાલશયનાસનસૂર્ય નમસ્કાર વગેરે શરીરને ઊર્જાવાન બનાવવા તથા ખાસ કરીને ધૂમ્રપાનને છોડવા માટે લાભદાયક છે.

વરસાદમાં થતા રોગ અને તેના યૌગિક ઉપાય


વરસાદમાં થતા રોગ અને તેના યૌગિક ઉપાય






વરસાદની ઋતુમાં વાતાવરણમાં ભેજ હોય છે. શરીરની સ્વચ્છતા સારી રીતે ન થાય તો ત્વચાના રોગ થાય છે. ત્વચા રોગમાં ઘણા રોગ એવા હોય છે કે જેના પ્રત્યે કાળજી ન રખાય તો તે જીવનભર પીછો છોડતા નથી. શારીરિક સૌંદર્યનો સંબંધ પણ ત્વચાથી છે.ત્વચાની સ્વચ્છતાનું ધ્યાન ન રખાય,ત્વચા સ્વસ્થ ન હોય તો ત્વચા રોગ થવા માંડે છે. આ રોગોમાં એક્ઝિમાખસ-ખંજવાળપિત્ત થવું (શીત-પિત્ત)ફોડા-ફોલ્લી,ઘા થવોશરીર પર સોજોખીલ વગેરે સામેલ છે. વરસાદની ઋતુમાં આ રોગમાં વધારો થાય છે.
એક્ઝિમા
આ રોગ પગમોંકોણીગરદનપેટ વગેરે ક્યાંય પણ થઈ શકે છે. લૂ લાગવાથી,માસિકચક્રમાં ગરબડીલોહીની બીમારીસાબુચૂનોસોડાક્ષાર વગેરેનો પ્રયોગ વધુ પ્રમાણમાં કરવાથીટાઈટ કપડા પહેરવાથીખોટો આહારવધુપડતો દારૂ પીવાથી એક્ઝિમાની ફરિયાદ થઈ શકે છે.
લક્ષણ : આ રોગમાં શરીર પર લાલ દાણા દેખાય છે. જેમાં બળતરા થાય છે. ઘણી વાર ચકામા પડી જાય છે. ઘા પણ થઈ જાય છે. ઘામાંથી થોડું ઘાટું અને પીળા રંગનું પ્રવાહી નીકળે છે. ઘણી વાર આ રોગને કારણે સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. એક્ઝિમા જૂનો થઈ જાય તો મહામુશ્કેલીએ મટે છે.
પ્રાકૃતિક નિદાન :
તીવ્ર મરીમસાલાખાંડમીઠાઈગોળતેલ તથા કાચાં ફળ ખાવાં બંધ કરી દો. આ ખાદ્યપદાર્થ રોગને વધારે છે.
પેટ સાફ રાખો. કબજિયાત થાય ત્યારે ગરમ પાણી સાથે એક ચમચી ત્રિફળા લેવાથી કબજિયાત મટે છે.
મગફળીનું તેલ ગરમ કરી થોડી વારે ત્વચા પર લગાવો.
વરસાદની ઋતુમાં (ચોમાસામાં) પાણીમાં થોડાં લીમડાનાં પાન નાંખી ઉકાળો પછી તેનાથી સ્નાન કરો. લીમડાનાં પાંદડાંના રસને એક્ઝિમા પર પણ લગાવો.
મૂળાનાં પાન અને બીજ બંનેને વાટી એક્ઝિમા પર લગાવો.
દિવસમાં પાંચ-છ વાર ફટકડીના પાણીને એક્ઝિમા પર લગાડો.
દરરોજ બે કપ ગાજરનો રસ પીઓ આનો રસ એક્ઝિમા પર પણ લગાડો.
સરસિયાના તેલમાં વાટેલી હળદર મેળવી લગાવવાથી પણ એક્ઝિમા મટી જાય છે.
શેરડીનો રસ તથા મધ બંનેને મેળવી એક્ઝિમા પર લગાવો.
ડુંગળીનો રસ તથા લસણના રસને મેળવી એક્ઝિમા પર લગાવો. આનાથી ઘણો લાભ થાય છે.
યોગથી ઉપચાર :
લોહી શુદ્ધ થાય તથા પેટનું આરોગ્ય વધે તેવાં આસનોનો અભ્યાસ કરો.
તાડાસનકટિચક્રાસનઉત્તાનપાદાસનસુપ્ત પવનમુક્તાસનગોમુખાસન તથા અર્ધમત્સ્યેંદ્રાસનની સાથે પ્રાતઃ કાળે સૂર્ય નમસ્કારનો પણ અભ્યાસ કરો.
પ્રાણાયામોમાં નાડીશોધનશીતલી તથા સીત્કારી પ્રાણાયામનો અભ્યાસ કરો.
સૂક્ષ્મ વ્યાયામની પહેલી પાંચ ક્રિયાઓ તથા પેટને શક્તિ મળે તેવી ક્રિયાઓનો અભ્યાસ દરરોજ કરો. સ્થાયી લાભ થશે.
ખસ-ખંજવાળ 
ત્વચા શુષ્ક થઈ તેના પર ડાઘ પડે છે પછી દાણા નીકળે છે તેમાં ખંજવાળ થાય છે. ત્વચા છોલાઈ જાય છે. આવા રોગીનાં કપડાં પહેરવાથી બીજાને પણ આ રોગ થાય છે. ત્વચા ખરબચડી થઈ જાય છે. સતત ખંજવાળતાં બળતરા પીડા થાય છે. રાતના સમયે તકલીફ વધી જાય છે.
એવું માનવામાં આવે છે કે આહાર-વિહારની ગરબડી અને લોહીને દુષિત કરનારા ખાદ્ય પદાર્થો,ખાટા મસાલાવાળા તથા વધુપડતો ગોળ કે ખાંડવાળો પદાર્થ વધુ ખાવાથી ભોજનથી બનેલા રસમાં પણ વિકાર આવી લોહીમાં વિકાર ઉત્પન્ન થાય છે. સતત કબજિયાત રહે તે પણ રક્તવિકારનું કારણ છે. રક્તની આ દુષિત વિકારયુક્ત અમ્લીય અવસ્થા જ જાતજાતના ચર્મ રોગોનાં કારણ હોય છે.
પ્રાકૃતિક ચિકિત્સા :
એનિમા લઈ પેટ સાફ રાખો.
ઉપવાસ આના માટે એક કારગર ઉપાય છે. રોગ અને રોગીની સ્થિતિ પ્રમાણે નાના અને લાંબા ઉપવાસ કરાવી શકાય છે. થોડા દિવસ સુધી રસાહારજેમાં વિટામિન-સી યુક્ત રસોને ભરપૂર પ્રમાણમાં લેવાથી ઘણો લાભ થાય છે.
ખાટાતીખામરી મસાલાવાળા તળેલા-ભુંજેલા પદાર્થોનો તરત જ ત્યાગ કરો. અન્ન સિવાય ફળાહાર અને રસાહારનો ઉપયોગ કરો. ફળાહાર અને રસાહાર રક્તની દુષિત અવસ્થા અને અમ્લીયતાને ધીરે ધીરે નાશ કરી તેને ફરીથી સામાન્ય સ્વાસ્થ્ય બનાવવામાં સહાયક હોય છે.
જૂના ત્વચા રોગમાં માત્ર પાણી પર રહી ઉપવાસ કરવો જોઈએ. જ્યારે શરીર શુદ્ધ થઈ જાય ત્યારે સામાન્ય ભોજન શરૂ કરો. જેમાં ચોકરવાળી જાડા લોટની રોટલી અને લીલાં શાક ભરપૂર લેવાં. ઘઉંની થૂલી અને શાક પણ લઈ શકાય છે.
દરરોજ સવારમાં કશું ખાધા વિના એક ગ્લાસ તાજા પાણીમાં અડધું લીંબૂ નિચોવી પીઓ.
કાળી માટીમાં થોડું મીઠું અને બાવળનો ગુંદર (વાટેલો) મેળવી ખંજવાળ ખસદાદર પર લગાવો. માટીને વારંવાર ભીની કરતાં રહો.
પાણીમાં પીપળનાં પાંદડાંનો રસ નાખી તેનાથી ખસ - ખંજવાળને સવાર-બપોર-સાંજ ધૂઓ.
વધુ ગરમ કે વધુ ઠંડા પદાર્થ ખાવા નહીં.
પાણીમાં અડધું લીંબૂ નિચોવી સ્નાન કરો. માથામાં નાળિયેરનું તેલ લગાવો.
યૌગિક ઉપચાર :
આ રોગમાં યૌગિક શુદ્ધિ ક્રિયાઓ જેમ કે કુંજલજલનેતિ તથા વસ્ત્રધૌતિનો દરરોજ અભ્યાસ કરવો જોઈએ. શંખપ્રક્ષાલન તથા બાહ્યક્રિયાનો અભ્યાસ મહિનામાં એક વાર કરવો.
તાડાસનકટિચક્રાસનઉત્તાનપાદાસનસુપ્તપવનમુક્તાસનસર્વાંગાસનચક્રાસન,હલાસનભુજંગાસનધનુરાસનપશ્ચિમોત્તાનાસનગોમુખાસન તથા અર્ધમત્સ્યેંદ્રાસનની સાથે પ્રાતઃ કાળે સૂર્ય નમસ્કારનો પણ અભ્યાસ કરવો.
પ્રાણાયામમાં નાડી શોધનશીતલી તથા સીત્કારી પ્રાણાયામનો અભ્યાસ કરો.

યોગી અને યોગ શક્તિ(બિંબ પ્રતિબિંબ )


યોગી અને યોગ શક્તિ(બિંબ પ્રતિબિંબ )




(૧) યોગ પરમાનંદની પ્રાપ્તિનો વાચક છે. યોગ એટલે પરમાનંદની પ્રાપ્તિ અને તેમાં દુઃખોનો અભાવ.
(૨) ‘ધ્યાન યોગ’ના અર્થમાં યોગ એટલે વાયુરહિત સ્થાનમાં રહેલા દિવાની સ્થિર જ્યોતિ સમાન ચિત્તની સ્થિરતા.
(૩) ‘નિષ્કામ કર્મયોગ’ના અર્થમાં યોગ એટલે આસક્તિ રહિત તથા સિદ્ધિ અસિદ્ધિમાં સમાન ભાવ રાખી કરવામાં આવતાં કર્મો.
(૪) ‘ભગવત્ત શક્તિરૃપ’ યોગના અર્થમાં યોગ આશ્ચર્યજનક પ્રભાવ દર્શાવતી યોગશક્તિ છે.
(૫) ‘ભક્તિયોગ’ના અર્થમાં યોગ એટલે પરમાત્માની વિશુદ્ધભક્તિ.
(૬) ‘અષ્ટાંગ યોગ’ના અર્થમાં યોગ એટલે  ધારણા તથા અન્ય માર્ગો દ્વારા મન અને ઇન્દ્રિયોનો સંયમ કરી મસ્તકમાં પ્રાણ ચડાવવાની પ્રક્રિયા.
(૭) ‘સાંખ્યયોગ’ના અર્થમાં યોગએટલે અહં-મમત્વનો લય કરીને સચ્ચિદાનંદઘન, સર્વાવ્યાપી પરમાત્મામાં એકાત્મ ભાવથી સ્થિત થવું.
યોગના ગ્રંથોમાં ‘યોગ’ એટલે ‘યોગ ચતુષ્ઠય’ છે. આ યોગ ચતુષ્ઠય એટલે (૧)મંત્રયોગ (૨) હઠયોગ (૩) રાજયોગ અને (૪) લયયોગ. આ યોગનો અર્થ છેઃ
(૧) મંત્રયોગ :
મનનો જે લય કરે તે મંત્રયોગ. મંત્રની એક વ્યાખ્યા’મનને તારે તે મંત્ર’ એવી અપાય છે. મંત્રયોગનો ઉપયોગ સિદ્ધિ અને સામર્થ્ય પ્રાપ્ત કરવા પણ થતો હોય છે. તંત્રયોગના પરિણામ મનો- શારીરિક તથા આદ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે.
(૨) હઠયોગ :
‘હ’ એટલે ‘સૂર્ય’ અને ‘ઠ’ એટલે ચંદ્ર. આનો અર્થ થાય છે કે ઇંડા અને પીંગળા નાડીના સંયોગથી સુષુમુના સ્થિત કુંડલિની શક્તિનું ઉત્થાન કરાવીને તેને સહસ્ત્રારસ્થિત શિવમાં સામરસ્ય કરાવી એટલે હઠયોગ. આવી ક્રિયા અન્ય યોગના પ્રકારથી કે આકસ્મિક થાય તેવું બની શકે છે.
યોગના ગ્રંથોમાં દર્શાવ્યા પ્રમાણે સુપ્ત કુંડલિની શક્તિનું ઉત્થાન કરાવી તેને મૂલાધાર,સ્વાધિષ્ટાન, મણિપુર અનાહત, વિશુદ્ધ આજ્ઞા વગેરે ચક્રોનો ભેદ કરાવી તેને ‘હઠયોગ’ કહે છે. પ્રચલિત  અર્થમાં હઠયોગને દૈહિક નિયંત્રણો દ્વારા અદ્ભુત શારીરિક શક્તિ પ્રાપ્ત કરવાનો યોગ માનવામાં આવે છે. તેને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરવાના રહસ્યોનો યોગ માનવામાં આવે છે.
(૩) રાજયોગ :
પદ્માસન, સિદ્ધાસન આદિ કોઈ સ્થિર આસન કરીને શાંતિથી આદિ કોઈ મુદ્રા દ્વારા ચિત્તને એકાગ્ર કરી પરમાત્મભાવમાં સ્થિર થવાના યોગને રાજયોગ કહે છે. મનના નિરોધ દ્વારા પ્રાણનો વિરોધ કરવાના યોગને રાજયોગ કહે છે. મન, ચિત્ત અને ચેતનાને લઈને આગળ વધવાનું ધ્યેય ધરાવતા યોગને રાજયોગ કહે છે.
(૪) લયયોગ :
લયયોગ એટલે મંત્રયોગ અને હઠયોગના સમન્વય દ્વારા કુંડલિને જાગૃત કરતો યોગ.
આ ચાર પ્રકારના યોગ સિવાય ક્રિયાયોગ, સ્પંદનયોગ, અસ્પર્શ યોગ વગેરે પ્રકારના યોગ તંત્રગ્રંથો તથા યોગ ગ્રંથોમાં જોવા મળે છે.
યોગની સાધના કરનારને સાધક કહે છે. પરંતુ તેમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનારને સિદ્ધયોગી કહે છે. તૈલંગ સ્વામી, લાહિરી મહાશય, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, શ્રી અરવિંદ ઘોષ વગેરેનો સિદ્ધયોગીમાં સમાવેશ થાય છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ‘યોગી’ શબ્દ નવ અર્થમાં વપરાયો હોવાનું જણાય છે. ઈશ્વર,આત્મજ્ઞાની, જ્ઞાનીભક્ત, નિષ્કામ કર્મયોગી, સાંખ્યયોગી ભક્ત, સાધકયોગી, ધ્યાનયોગી, સકામ કર્મયોગી, વગેરે અર્થમાં ‘યોગી’ શબ્દ વપરાયો છે. યોગીની મહાન સિદ્ધિ ગણાવતા ઉપનિષદમાં જણાવવામાં આવ્યું છે કે ‘યોગીનું શરીર યોગાગ્નિમય થઈ જાય છે. તે ઘડપણ, રોગ અને મૃત્યુથી પર થઈ જાય છે. અજર- અમર થઈ જાય છે.
યોગસિખોપનિષદમાં દર્શાવ્યા પ્રમાણે ‘મંત્ર, લય, હઠ અને રાજ આ ચાર યોગ યથાક્રમ ચાર ભૂમિકાઓ છે. ચારેય મળીને આ એક જ ચર્તુિવધ યોગ છે. જેને ‘મહાયોગ’ કહે છે. ‘મહાયોગ સિદ્ધ થાય તેવા યોગીને મહાયોગી કહે છે. મહાયોગી તથા સિદ્ધયોગીની યોગશક્તિ અદ્ભુત કે વિરલ મનાય છે. મુનિશ્રી પતંજલિએ’પાતંજલ’ યોગદર્શનમાં વર્ણવેલી ગૌણ અને મુખ્ય સિદ્ધિઓમાંથી ઓછાવત્તા પ્રમાણમાં સિદ્ધિઓ આ કક્ષાના યોગીને પ્રાપ્ત થઈ હોય છે.
પતંજલિ મુનિના દર્શાવ્યા પ્રમાણે ધ્યાન ધારણા અને સમાધિ. આ ત્રણેને યોગનું ‘અંતરંગ સાધન’ એટલે કે સંયમ કહેવાય છે. લાંબાગાળાના સઘન સંયમ દ્વારા અસાધારણ પરાશક્તિઓ પ્રાપ્ત થાય છે. વિષયોના ધર્મ, લક્ષમ અને અવસ્થા પરિણામ હોય છે. આ ત્રણે પરિણામોમાં સંયમ કરવાથી યોગી ભૂતકાળ અને ભવિષ્યકાળનું સાક્ષાત્કારત્મક જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. જ્ઞાનની પૃથકતામાં સંયમ કરવાથી જ્ઞાનીને પશુ-પક્ષીઓની ભાષાનું જ્ઞાન થાય છે. સંસ્કારો પર સંયમ કરવાથી યોગીને તે સંસ્કારોનો સાક્ષાત્કાર થઈ તેના સંબંધિત સમસ્ત પૂર્વજન્મોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. બીજાના ચિત્ત ઉપર સંયમ કરવાથી બીજાનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરી યોગીને સંકલ્પ માત્રથી તેના ચિત્તનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. વિવિધ પ્રકારે સંયમ કરી યોગી બીજાની નજરમાંથી અદૃશ્ય થઈ જવું, મૃત્યુનું જ્ઞાન પ્રાપ્ત કરવું, આશ્ચર્યકારક બળ પ્રાપ્ત કરવું. દૂર દેશના પદાર્થો કે બનાવોનું જ્ઞાન પ્રાપ્ત કરવું. ચૌદ ભુવનનું સવિસ્તર પ્રત્યક્ષ થઈ જવું,તારાગણની સ્થિતિનું જ્ઞાન, શરીરનું આંતરિક જ્ઞાન, તથા રોગોનું પૂર્વજ્ઞાન વિગેરે વિગેરે સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. નવાઇની વાત એ છે કે મુનિશ્રીપતંજલિએ દર્શાવેલી યોગશક્તિમાંથી જુદી જુદીશક્તિઓ મહાયોગી કે સિદ્ધયોગીમાં પ્રસંગોપાત જણાય છે.
યોગશાસ્ત્રના મહાન ગ્રંથોમાં દર્શાવ્યા પ્રમાણે શરીર ઇન્દ્રિયો અને ચિત્ત તથા ચેતનામાં પરિવર્તન દ્વારા વિલક્ષણ શક્તિનો ઉદય થવાને જ સિદ્ધિ કહે છે. આ સિદ્ધિઓ જન્મ, ઔષધિ, મંત્ર, તપ,અને સમાધિ આ પાંચ રીતે પ્રાપ્ત થાય છે. ભારતનાં ગૂઢશાસ્ત્ર અને યોગવિદ્યા અંગેના તથા ધર્મગ્રંથોમાં પૂર્વજન્મના સંચિત કર્મો તથા તેની આ જન્મમાં દેખાતી અસરોને મહત્ત્વની ગણવામાં આવી છે. આમ છતાં યોગીના તપ તથા સાધના દ્વારા પ્રાપ્ત થતી આ જન્મની સિદ્ધિના મહત્ત્વને સ્વીકારવામાં આવ્યું છે.
યોગશાસ્ત્રના ગ્રંથોમાં થયેલી યોગ, યોગી અને યોગશક્તિ દ્વારા પ્રાપ્ત થયેલી સિદ્ધિઓની છણાવટ બહુલક્ષી અભિગમની ઝાંખી કરાવે છે! 

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger