
સૂર્યભેદન પ્રાણાયમ કરો તો શરીરમાં ગરમી વધશે..
ઠંડીની રુતુમાં શરદીની બિમારી ખૂબ સામાન્ય વાત છે. અનેક વાર આ સમસ્યા વધી જાય છે જેનાથી ખૂબ ઓછા લોકો બિમાર થઈ જાય છે. આ રુતુમાં ઠંડીને દૂર કરવા માટે સૂર્ય ભેદન પ્રાણાયમ શ્રેષ્ઠ છે. તેના નિયમિત અભ્યાસથી સાધકના શરીરમાં હંમેશા ગર્મી વધે છે અને તેના પર ઠંડકનો વિશેષ પ્રભાવ નથી પડતો.
સૂર્યભેદન પ્રાણાયમની વિધી
સૂર્ય ભેદન પ્રાણાયમની રીત
કોઈ સાફ અને સ્વચ્છ વાતારણમાં સુવિધાજનક સ્થાન પર સુખાસનમાં બેસવું. નાકના જમણાં છિદ્રને બંને હાથથી બંધ કરીને ડાબી નાસિકાના દ્વારેથી ઉંડેથી શ્વાસ લેવો. નાક બંધ કરવું. થોડી વાર સુધી શ્વાસ અંદર જ રોકી રાખવો. જલંધર અને મૂળબંધની ક્રિયા કરવી. બંધ શિથિલ કરતા ડાબા દ્વારથી ધીરે ધીરે શ્વાસ છોડવો. આ એક ચક્ર થયું. આ પ્રકારનું ચક્ર 10 વાર કરવું. ધીરે ધીરે તેની સંખ્યા વધારવી.
સૂર્ય ભેદન પ્રાણાયમનો લાભ
આ ક્રિયા પાચન તંત્રને મજબૂત કરે છે. કેમ કે ડાબા સ્વરથી આ કાર્યમાં સહાય થાય છે. શરીરમાં ગરમી વધે છે. તેનો લાભ ઠંડીના દિવસોમાં વિશેષ મળે છે. શરદી- ખાંસીમાં તેનાથી વિશેષ લાભ પણ મળે છે. ત્વચાનો વિકાર યોગ્ય થાય છે. ઓછા બ્લડ પ્રેશર ધરાવનારા દર્દીઓને તેનાથી ફાયદો થાય છે.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો