મંગળવાર, 8 માર્ચ, 2011

અનેક બિમારીઓનો એક ઈલાજ- શીર્ષાસન


અનેક બિમારીઓનો એક ઈલાજ- શીર્ષાસન

 

યોગાસનના નિયમિત અભ્યાસથી આપણું શરીર હંમેશા સ્વસ્ત અને નિરોગી બને છે. જો યોગાસનનો અભ્યાસ નિયમિત કરવામાં આવે તો આપણી કાર્યક્ષમતા વધે છે. આ દરેક આસનોમાં એક મહત્વપૂર્ણ આસન છે શીર્ષાસન
શી્ર્ષાસન એક એવું આશન છે જેના અભ્યાસથી આપણે સદૈવ અનેક મોટી બિમારીઓથી દૂર રહીએ છીએ. જો કે આ આસન ખૂબ મુશ્કેલ છે. દરેક વ્યક્તિ માટે તે સહજ નથી. શીર્ષાસન કરવાથી આપણું પાચનતંત્ર ખૂબ સારું રહે છે. 
શીર્ષાનની વિધી
શીર્ષાસન કરવા માટે સૌથી પહેલા સમતળ સ્થાન પર શેતરંજી પાથરીને વર્જાસનની અવસ્થામાં બેસવું. જ્યારે બંને હાથ આગળની તરફ ઝુકાવવામાં આવે ત્યારે આગળ નમીને કોણીઓને જમીન પર ટેકવી દેવી. બંને હાથ તથા આંગળીઓને એકબીજા સાથે જોડી દેવા.હવે શિરને એટલે કે તમારા માથાને બંને હથેળીઓની મધ્યમાં રાખવું અને ધીરે ધીરે આગળ કરવું. શ્વાસ સામાન્ય રાખવો.માથાને જમીન પર ટેકવ્યા બાદ ધીરે ધીરે શરીરનું સંપૂર્ણ વજન માથા પર છોડી દેવું.શરીરને ઉપર તરફ ખેંચવું. શરીરને સીધું કરવું.બસ આ અવસ્થાને શીર્ષાસન કહેવામાં આવે છે. આ આસનને માથાના બળ પર કરવામાં આવે છે. એટલા માટે તેને શીર્ષાસન કહેવામાં આવે છે.
શીર્ષાસનના લાભ
શીર્ષાસનથી આપણું પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તેના લીધે મસ્તિષ્કમાં સંચાર વધે છે. જેનાથી સ્મરણ શક્તિ ખૂબ નધી જાય છે. હિસ્ટીરીયા અને અંડકોષની વૃદ્ધિ , હર્નિયા તથા કબજિયાતમાં ફાયદો રહે છે. અનેક રોગ દૂર કરે છે. વાળના રોગ અને તેને ખરતા અટકાવે છે. આ આસનથી આપણી માંસપેશીઓ એક્ટિવ થાય છે અને આ આસનથી શરીરને બળ મળે છે. આત્મવિશ્વાસ વધે છે. અનેક પ્રકારના મનના ડર દૂર થાય છે.
શીર્ષાસન માટે સાવધાની
જો તમે સંપૂર્ણ સ્વસ્થ ના હો તો શીર્ષાસન કરવું ટાળવું. યોગ શિક્ષક પાસે શીખવું ખૂબ જરુરી છે. બ્લડ પ્રેશર હોય તો આ આસન કોઈ પણ હિસાબે ન કરવું. આંખોથી સંબંધિત બિમારી હોય તો પણ ના કરવું.ગરદનની બિમારી હોય તો પણ ના કરવું

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger