સિદ્ધાસનથી પ્રાપ્ત થશે અલૌકિક સિદ્ધીઓ

સિદ્ધાસનની વિધી
સમતલ સ્થાન પર ચાદર કે આસન પર બેસીને પગને ખુલ્લા રાખવા. હવે જમણા પગની એડીને ગુદાની વચ્ચે ખેંચવી. ડાબા પગની એડીને જનનેન્દ્રિયની ઉપર એ પ્રકારે ખેંચવી જેનાથી જનનેન્દ્રિય અને અંડકોષની ઉપર કોઈ દબાણ ન થાય. જમણા પગની એડીનો ક્રમ બદલી પણ શકાય છે.બંને પગના તળીયા જાંઘ અને મધ્ય ભાગની વચ્ચે રાખવા.હથેળી ઉપરની બાજુએ રાખવી અને બંને હાથને પલાંઠીની વચ્ચે રાખવી. બંને હાથને જ્ઞાનમુદ્રાની વચ્ચે રાખવા. આંખો ખુલ્લી અથવા બંધ રાખવી.શ્વાસ સામાન્ય રાખવા અને ધ્યાન કેન્દ્રિત કરવું. પાંચ મિનિટ સુધી આસનનો અભ્યાસ કરવો.
સિદ્ધાસનના લાભ
સિદ્ધાસનથી શરીરની દરેક નાડીઓનું શુદ્ધિકરણ થાય છે. ધ્યાન પણ સરળ બને છે. પાચનક્રિયા નિયમિત થાય છે. શ્વાસના રોગ, હ્રદય રોગ,જીર્ણજ્વર, અજીર્ણ, અતિસાર, શુક્રદોષ વગેરે દૂર રહે છે. મંદાગ્નિ, મરોડા, સંગ્રહિણી,વાતવિકાર, ક્ષય, દમ, મધુપ્રમેહ વગેરે રોગોથી દૂર રહેવા મળે છે. બ્રહ્મચર્ય પાલનમાં આ આસન વિશેષ રુપથી સહાયક બને છે. રોગિષ્ટ લોકોએ તેનો ફાયદો લેવો જોઈએ. માસનસિક શક્તિઓને વધારે છે અને કુંડલિની શક્તિઓને જાગૃત કરવાનું પ્રશમ સોપાન છે.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો