મંગળવાર, 8 માર્ચ, 2011

યુવાની અને સુંદરતા વધારશે વક્રાસન

યુવાની અને સુંદરતા વધારશે વક્રાસન

વક્રાસન આસનમાં આપણા શરીરની અવસ્થા દેડકા જેવી બને છે. આ જ કારણે તેને વક્રાસન કહેવામાં આવે છે. આ આસનમાં આપણા શરીરમાંથી આંતરિક તેમજ બાહ્ય શક્તિમાં ગુણોત્તર વૃદ્ધિ થાય છે. થોડા સમયમાં જ આસનના લાભથી તમારું શરીર શાંતિનો અનુભવ કરશે.

વક્રાસનની વિધી
સમતળ સ્થાન પર ચાદર પાથરીને બેસવું. હવે બંને હાથોને સામેની ભૂમિ પર રાખવા. શ્વાસ સામાન્ય રાખવા. બંને ઘુંટણને બંને હાથની કોણીઓ સાથે સ્થિર કરવી. શ્વાસ અંદર તરફ ખેંચવો અને શરીરને ધીરે ધીરે હથેળીઓના સહાર ઉપર તરફ ખેંચવું. આ આસન ઘણું કઠિન છે પરંતુ તેનો નિરંતર અભ્યાસ કરવાથી આસનની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત થાય છે. પરંતુ ધ્યાનમાં રાખવું કે હાથમાં જો કોઈ મુશ્કેલી હોય તો આસન ન કરવું.

વક્રાસનના લાભ
વક્રાસનથી આપણા શરીરનો પુરેપુરો ભાર હાથ પર આવી જાય છે. તેનાથી આપણા હાથના સ્નાયુઓ નબળા મજબુત થાય છે અને આરોગ્ય પણ વધે છે. મુખની કાન્તિ વધે છે. સુંદરતામાં ખૂબ વધારો થાય છે.યુવાની વધે છે અને શરીર હ્રુષ્ટ પુષ્ટ બને છે. આ આસનથી શરીરની નાની મોટી અનેક બિમારીઓ દૂર થાય છે. 


0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger