શનિવાર, 5 માર્ચ, 2011

વિવિધ મુદ્રાઓથી જાળવો સ્વસ્થતા


વિવિધ મુદ્રાઓથી જાળવો સ્વસ્થતા


 
આપણા શાસ્ત્રોમાં વિવિધ મુદ્રાઓની વાત કરવામાં આવી છે. આ મુદ્રાઓ આજની વ્યસ્ત જીવનશૈલીમાં ખૂબ જ ઉપયોગી છે કારણ કે મોટા ભાગે હાઈફાઈ લાઇફસ્ટાઇલના કારણે આપણે મગજને રાહત પહોંચાડી શકતા નથી અને કસરત કરવા માટેનો સમય પણ કાઢી શકતા નથી. એવા સમયે સરળ અને કરી શકાતી આ હસ્તમુદ્રાઓ આપણને ઘણી મદદ કરે છે. આ મુદ્રાઓ પાછળ તમે ૩ થી ૫ મિનિટનો સમય આપશો તો ઘણા બધા રોગોમાં તમને રાહત જણાશે.
આકાશ મુદ્રા-
આ મુદ્રા કરવાથી કાનના રોગોમાં રાહત જણાય છે.
ધ્યાન મુદ્રા-
ધ્યાન મુદ્રાના કારણે તમને તાણમાંથી રાહત મળે છે, ઉપરાંત તમને માનસિક કોઈ પણ પરેશાની હશે તેમાં તમે શાંત રહી શકશો. આ મુદ્રા કરવાથી તમે કોઈ પણ બાબતમાં સારી રીતે એકાગ્ર થઈ શકશો.
હ્ય્દય મુદ્રા-
દમ કે પછી શ્વાસોચ્છવાસ સંબંધી કોઈ પણ રોગમાં આ મુદ્રા કરવાથી લાભ થાય છે.
જળ મુદ્રા-
જળ મુદ્રાના કારણે લોહી ચોખ્ખું થાય છે અને ચામડીને લગતા કોઈ પણ રોગમાં ફાયદો થાય છે.
લિંગ મુદ્રા-
માથાનો દુખાવો, તાવ જેવી તકલીફ થઈ હોય અને આ મુદ્રા કરશો તો તમને રાહત મળતી લાગશે.
પાચન મુદ્રા-
પાચન મુદ્રા નામ જ કહી આપે છે કે ખોરાક પચાવવા માટે થતી મુદ્રા. આ મુદ્રા જમ્યા બાદ જ કરવી તે સિવાય નહીં. આ મુદ્રા કરવાથી પાચનતંત્ર સુધરે છે.
સૂર્ય મુદ્રા-
કોલેસ્ટરોલને નિયંત્રણમાં રાખે છે.
પ્રાણ મુદ્રા-
તમને આંખનો પ્રોબ્લેમ હોય કે પછી તમે વારંવાર નર્વસ થઈ જતા હોવ તો આ મુદ્રા અપનાવો. આ ઉપરાંત પ્રાણ મુદ્રા શરીરના બધા ભાગને ર્સ્ફૂિત પણ બક્ષે છે.
પૃથ્વી મુદ્રા-
મગજને શાંતિ મળે અને શરીર કામ કરવા માટે નવેસરથી કાર્યરત થાય એ માટે પૃથ્વી મુદ્રા કરવામાં આવે છે.
વાયુ મુદ્રા-
આ મુદ્રા સાંધાના દુખાવામાં અને પેટના પ્રોબ્લેમ માટે કરવામાં આવે તો અસરકારક પરિણામ આપે છે.

2 ટિપ્પણી(ઓ):

Unknown કહ્યું...

હ્ય્દય મુદ્રા

Unknown કહ્યું...

હ્ય્દય મુદ્રા

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger